કેશોદ લોહાણા ક્રાંતિ સેના દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં સ્પોર્ટસ, ધાર્મિક કાર્યક્રમો,સામાજિક સેવાઓ,અનાજ વિતરણ વગેરે સેવાઓ કરવામાં આવી રહી છે હાલમાં વિદ્યાર્થીઓ માટે પુસ્તકો તથા નોટબુક ખૂબ જ મોંઘી હોવાને લઈને ખરીદવી મુશ્કેલ હોય છે ત્યારે લોહાણા ક્રાંતિ સેના દ્વારા દસ હજાર ફુલ સ્કેપના ચોપડાઓનું વિતરણ આજરોજ લોહાણા મહાજન વાડી પાસે જલારામ મંદિર રોડ ઉપર સર્વ જ્ઞાતિ માટે વિતરણ કરવામાં આવેલું હતું પુસ્તક વિતરણની શરૂઆત કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા દ્વારા કરવામાં આવેલી હતી દાતાઓ ક્રિષ્ના સ્કૂલ ગ્રુપ,જલારામ કેટરિંગ એન્ડ ઇવેન્ટ વગેરે નાં આર્થિક સહયોગથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ વિતરણ કરવામાં આવેલું હતું આ કાર્યને સફળ બનાવવા ડો સ્નેહલ તન્ના, વિજય કારિયા, દિનેશ કાનાબાર, કેયુર કારીયા, અજય દત્તા, વગેરે દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ