વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદડવેલ ગામે આવેલ ચીખલી,ખેરગામ, ધરમપુર,વાંસદા, ડાંગ ના આદિવાસી ખેડૂતોની જીવાદોરી સમાન કાવેરી સુગર ની જમીનની હરાજી કરવા માટે એનસીડીસી દ્વારા જાહેરાત કરાતા કાવેરી સુગરના સભાસદો ચિંતામાં મુકાયા છે ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલી પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપી કાવેરી સુગરની હરાજી અટકાવી તેનું તાત્કાલિક નિર્માણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વર્ષ 1981 માં કોંગ્રેસ પાર્ટી દ્વારા આદિવાસી ખેડૂતોના હિતમાં કાવેરી સુગર મિલ નો પાયો નાખવામાં આવ્યો હતો અને વર્ષ 1989 માં ગણદેવી સુગર સામે સુપ્રીમ કોર્ટમાં જઈને કાવેરી સુગર મીલનું લાયસન્સ મેળવ્યું હતું અને સાદડવેલ ગામે જમીન ખરીદી હતી જે બાદ રાજ્ય અને દેશમાં ભાજપની સરકાર આવતા ચીખલી તાલુકાના સાદડવેલ ગામે કાવેરી સુગર મિલ નું નિર્માણ ની શરૂઆત કરવામાં આવી હતી અને આ કાવેરી સુગર મીલનું ખાતમુર્હુત ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ જ દિવસે સાદડવેલ ખાતે જાહેર મંચ પરથી તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને નાણામંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા ૧૫૦૦૦ થી વધુ સભાસદો ની ઉપસ્થિતિ માં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં કાવેરી સુગરમાં આદિવાસી સભાસદો વધુ હોય જેથી શેર ફાળો આવે એ પહેલા સરકારશ્રી નો શેર ફાળો પૂરેપૂરો એડવાન્સમાં આપી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી જેથી આ વિસ્તારના આદિવાસી ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી પરંતુ કાવેરી સુગરનું બાંધકામ શરૂ થયા બાદ સરકારનો શેર ફાળો પૂરેપૂરો આપવામાં આવ્યો નથી અને વધુમાં NCDC દ્વારા કાવેરી સુગર ની હરાજી ની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ૨૫૦૦૦ સભાસદો ધરાવતી કાવેરી સુગર ની હરાજી થી આ વિસ્તારના આદિવાસીઓને મોટું નુકશાન થાય એમ છે અને આદિવાસી સભાસદ ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબી જવાની ખેડૂતોને બીક છે ત્યારે કોંગ્રેસે હવે કાવેરી સુગર ની હરાજી રોકવા મેદાને ઉતારી છે અને ધારાસભ્ય અનંત પટેલની આગેવાની એક વિશાલ રેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજવામા આવી છે કાવેરી સુગર ને લઇ કોંગ્રેસે આવેદનપત્ર આપી હરાજી રોકવાની માંગ કરી છે સાથેજ જો આ હરાજી રોકવામાં નહિ આવે તો જલ્દ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે સાથેજ જો હરાજી થશે તો કબ્જો પણ લેવા દેશું નહિ તેમ જણાવ્યું હતું