
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચીખલી સંચાલિત ધરમપુર રોડ ઉપર માર્કેયાર્ડ આવેલું છે.જેમાં કેરીની સીઝનમાં કેરીનો વેપાર મોટાપાયે થતો આવ્યો છે,તેમજ આખા વર્ષ દરમ્યાન શાકભાજીનો વેપાર પણ મોટા પ્રમાણમાં ચાલે છે.ચીખલી તાલુકામાંથી વિભાજીત થઈને ખેરગામ તાલુકો અમલમાં આવ્યાને દશ વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે,પરંતુ ખેરગામને એપી એપીએમસીનો અલગ દરજ્જો લોકોની અનેક રજૂઆતો છતાં આજદિન સુધી પ્રાપ્ત થયો નથી.ખે
ગામના ડેપ્યુટી સરપંચ જીજ્ઞેશભાઈ પટેલના જણાવ્યા મુજબ ખેરગામના માર્કેટયાર્ડનું આશરે 40 થી 45 લાખ જેટલી આવકનું ટર્ન ઓવર કરે છે. જેમાં શાકભાજી અને કેરીની આવક વધુ થાય છે.વધુમાં આસપાસના તાલુકાઓમાં શાકભાજીનું ઉત્પાદનમાં પણ ખેરગામ તાલુકામાં શાકભાજીનું બહોળું ઉત્પાદન થાય છે.ખેરગામ એપીએમસીમાંથી છેક સુરત, અમદાવાદ અને મુંબઈ સુધી શાકભાજી પહોંચાડવામાં આવે છે.આથી ખેરગામ એપીએમસી અલગ બને તો એનો સીધો લાભ ખેરગામ તાલુકાના ખેડૂતોને થઈ શકે છે…કોંગ્રેસ સમિતિના પ્રમુખ સશીનભાઈ પટેલે જણાવ્યું કે અમે ગાંધીનગર સચિવાલયમાં જે તે સમયે એપીએમસી નિયામકને બેથી ત્રણ વાર રૂબરૂ મળી અને સહકાર મંત્રીને પણ જે તે સમયે રજુઆત કરી હતી,હાઈકોર્ટમાં પણ આ બાબતે અપીલ કરી હતી.એપીએમસી અલગ થાય અને સ્થાનિક ખેડૂતોનું ભલું થાય એ માટે અમે રાજકીય રીતે પણ જે ભોગ આપવો પડે એના માટે તે સમયે પણ તૈયાર હતા અને આજે પણ તૈયાર છીએ.એપીએમસીને સૌથી વધુ આવક ખેરગામ તાલુકામાંથી પ્રાપ્ત થતી હોય અને સંચાલન બીજા કરે એ યોગ્ય નથી.


