DAHOD

આયુષ્માન આરોગ્ય મંદીર વાંદરીયા ખાતે વિશ્વ વસ્તી દિન ની ઉજવણી અંતર્ગત લઘુ શિબિર યોજાઈ

તા. ૧૦. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:આયુષ્માન આરોગ્ય મંદીર વાંદરીયા ખાતે વિશ્વ વસ્તી દિન ની ઉજવણી અંતર્ગત લઘુ શિબિર યોજાઈ

વિશ્વ વસ્તી દિનની ઉજવણી અંતર્ગત માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અન્વયે બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તક ના આયુષ્માન આરોગ્ય મંદીર વાંદરીયા ની આંગણવાડી ખાતે લઘુ શિબિર યોજાઈ જેમાં ગામ માંથી લક્ષિત દંપતી ને બોલાવવામાં આવેલ હતા આ શિબિર માં વસ્તી વધારાની સમસ્યા અને વસ્તી નિયંત્રણ અંગે મોડા લગ્ન બાળલગ્નો અટકાવવા નાનું કુટુંબ સુખી કુટુંબ લક્ષિત દંપતીને જરૂરિયાત મુજબ બિન કાયમી પદ્ધતિ જેવી કે પુરૂષો માટે નિરોધ, સ્ત્રીઓ માટે ગર્ભ નિરોધક ગોળીઓ,અંતરા ઇન્જેક્શન, બે બાળકો વચ્ચે ગાળો રાખવો કોપર ટી બે કે તેથી વધુ બાળકો વાળા દંપતીઓ માં પુરૂષો માટે કાપા કે ચીરા વગરની નસબંધી સ્ત્રીઓ માટે લેપ્રોસ્કોપી અને ટાકાવાળું ઓપરેશન તેમજ કુટુંબ કલ્યાણ પદ્ધતિઓ અપનાવનાર લાભાર્થીઓને મળતા આર્થિક લાભો અને દિકરી યોજના વિશે ખૂબજ વિસ્તારપૂર્વક માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ માં પ્રા આ કેન્દ્રના સુપરવાઈઝર તથા ફિમેલ હેલ્થ સુપરવાઈઝર લક્ષિત દંપતી આશા બહેન સહીત હાજર રહયા હતાં

Back to top button
error: Content is protected !!