વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
“વાહ રે ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર તમને ખબર છે ને કે અંગ્રેજોનાં ગુલામીમાંથી ઘણા સમય પહેલા ભારત દેશ આઝાદ થઈ ગયો છે.તેવામાં આ વટાળ પ્રવૃત્તિઓથી ફરી ગુલામ કરવાનાં કે કેમ ???..
જો આવી વટાળ પ્રવૃત્તિઓ ઉપર રાજય સરકાર રોક ન લગાવે તો આવનાર સમયમાં દક્ષિણ ગુજરાતની હિન્દૂ સંસ્કૃતિ ગાંધારીની જેમ આંખે પાટા બાંધી લેશે જેમા કોઈ બેમત નથી..
ડાંગ જિલ્લાનાં છેવાડે આવેલ નિશાણા ગામની ખરદાંડી પ્રાથમિક શાળાનાં કમ્પાઉન્ડમાં ચર્ચનાં બાંધકામ સામે જિલ્લા વહીવટીતંત્રની ભૂંડી ભૂમિકા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં આંતરિયાળ વિસ્તારમાં આવેલ નિશાણા ગામનાં ખરદાંડી ફળિયામાં આવેલ પ્રાથમિક ગુજરાતી શાળાનાં કમ્પાઉન્ડમાં પ્રવેશદ્વાર પર મસમોટુ ચર્ચ બનાવી દેવાયા બાદ 25 વર્ષ સુધી સ્થાનિક વહીવટી તંત્ર બેખબર હોય તેના તરફ આશ્ચર્ય ફેલાયું છે.જેમા ભારત દેશને આઝાદી મળ્યાને ઘણા વર્ષો વીતી ગયા.તેમ છતાંય ડાંગ વહીવટી તંત્રની ટીમ ગાંધારીની માફક આંખે પાટો બાંધી તમાશો જોતા રહી ગઈ.અહી હિન્દૂ સંસ્કૃતિને ભૂલી અંગ્રેજોની સંસ્કૃતિ અપનાવી તિલાંજલિ આપવાનું કાવતરૂ ઘડાયુ તેમ છતાંય કોઈને જાણ નથી.ત્યારે આ અંગે વેધક સવાલો ઉભા થઇ રહ્યા છે. તાપી જિલ્લામાં કથાકાર મોરારીબાપુ દ્વારા સરકારી શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વટાળ પ્રવૃત્તિમાં સામેલ કરાતું હોવાની વાતથી શિક્ષણ જગત સહીત રાજ્યભરમાં ઘેરા પ્રત્યઘાતો પડ્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે તાપી અને ડાંગ જિલ્લાના પ્રાથમિક સહીત માધ્યમિક શાળાઓમાં ચર્ચ કે અન્ય પ્રવૃતિઓ ચાલતી હોય તો તેનો અહેવાલ કરવા જેતે જિલ્લાનાં વડાઓને આદેશ કરાયા હતા.તેમ છતાં ડાંગ જિલ્લાના નિશાણા ગામની ખરદાંડી પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર બનેલ ચર્ચ અંગે જિલ્લા તંત્ર દ્વારા મુખ્યમંત્રીને પણ અંધારામાં રાખી ગેરકાયદેસર પ્રવૃતિઓ ચલાવવા માટે કોને રસ જાગ્યો તેવા સવાલો ઉભા થવા પામ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ધારો કે જે તે સમયે પ્રાથમિક શાળાનાં નિર્માણ પહેલા ચર્ચ બન્યું હોય તો શાળાનું કમ્પાઉન્ડ બનાવવા પ્રાથમિક શિક્ષણ કચેરીના ઈજનેરો કે શિક્ષણધિકારીઓને ચર્ચ નજરે ચડ્યું ન હોય તેવી ચર્ચા ઉઠી રહી છે. ત્યારે શિક્ષણ જેવી પવિત્ર સંકુલમાં ચર્ચ સાથે પ્રાથમિક શાળાના ઓરડાઓ સાથે આદિવાસી બાળકોને કેવું શિક્ષણ આપવામાં આવતું હશે તેની પણ તપાસ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.સાથોસાથ સ્થાનિક વહીવટી તંત્ર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમના તાબામાં આવતી શાળાઓમાં કેવો વહીવટ ચાલે છે તેની મુલાકાત કે ચકાસણી કેમ ના કરી તે પણ વિચારવા જેવી વાત છે.તેવામાં હાલ તો અખબારી અહેવાલ બાદ તંત્ર સફાળું જાગી આ પ્રકરણને ભીનું સંકેલવા કવાયત હાથ ધરી રહ્યું હોય તેમ જણાય છે.ત્યારે હવે પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં વર્ષોથી ચાલતી ચર્ચની પ્રવૃતિને આખ આડા કાન કરી ઉપલા અધિકારીઓને અજાણ રાખનાર મુખ્ય શિક્ષક સહીત અધિકારીઓ સામે કેવા પગલાં લેવામાં આવે છે તે આવનાર સમય જ બતાવશે કે પછી વોટ બેંકને ધ્યાનમાં રાખી ગાંધારીની જેમ આંખે પાટા બાંધી રાખી અંધ હોવાનું નાટક કરશે તે આવનાર સમય જ બતાવશે..