GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત બે દિવસીય”ઇકો ફ્રેન્ડલી”ગણેશ વર્કશોપ કાર્યક્રમ સંપન્ન…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મનપા દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ વર્કશોપ ૨૦૨૫: પર્યાવરણ સંરક્ષણ માટે અનોખો પ્રયાસ હાથ ધરી બે દિવસીય તાલીમનું આયોજન આજે સફળતા પૂર્વક સમાપન થયું

જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકા દ્વારા તા. ૬ અને ૭ ઓગસ્ટે પંડિત દિનદયાલ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લુંસીકીઈ ખાતે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું બે દિવસીય વર્કશોપ યોજાયું હતું. આ કાર્યક્રમનો સમય બપોરે ૨:૩૦ કલાકે રાખવામાં આવ્યો હતો અને તેમાં જાહેર જનતાને ભાગ લેવા માટે ભારી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું .

આ વર્કશોપનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતતા લાવવો અને વિદ્યાર્થીઓ તથા નાગરિકોને પ્રાકૃતિક સંસાધનોના યોગ્ય ઉપયોગ તથા ગ્લોબલ વોર્મિંગ અને ભૂમિ પ્રદૂષણ જેવી ગંભીર સમસ્યાઓથી અવગત કરાવવાનો રહ્યો. કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના વહીવટદાર, કલેક્ટર, ડીડીઓ, નવસારી મનપા ના ડેપ્યુટી કમિશનર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી પ્રેરણાદાયી ઉપસ્થિતિ નોંધાવી. તેમજ પર્યાવરણ આગેવાન અને મુખ્ય માર્ગદર્શક તરીકે માધવી બેન એમ શાહએ એક શિક્ષક તરીકે હાજરી આપી મુર્તિ બનવા અંગેની તાલીમ આપી હતી. આ અભિયાન હેઠળ બાળકોને ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાનો તાલીમાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો હતો, જેમાં રિસાયકલ અને રીયૂઝ જેવા મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા. રાજ્ય સરકારના “ત્રણ આર” (Reduce, Reuse, Recycle) ત્રિપલ R અભિગમને અનુરૂપ આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત અને જવાબદાર નાગરિક બનાવવાનો પ્રયાસ થયો.
આ કાર્યક્રમમાં નવસારી શહેર તથા આજુબાજુના વિસ્તારમાંથી ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને નાગરિકોએ સહભાગીતા નોંધાવી આ પહેલને સફળ બનાવી. નવસારી મહાનગરપાલિકા દ્વારા આવનારા સમયમાં પણ આવી પર્યાવરણીય દૃષ્ટિકોણવાળી પ્રવૃત્તિઓ યોજવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.

Back to top button
error: Content is protected !!