DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા 95 ખેડૂતોને એરંડાની વૈજ્ઞાનિક ખેતી વિશે માહિતગાર કરવામાં આવિયા

 

ડેડીયાપાડા 95 ખેડૂતોને એરંડાની વૈજ્ઞાનિક ખેતી વિશે માહિતગાર કરવામાં આવિયા

તાહિર મેમણ : ડેડીયાપાડા 16/13/2023- મિશન ફોર ઇન્ટીગ્રેટેડ ડેવલોપમેન્ટ ઓફ હોર્ટીકલચર, નોડ્લ ઓફિસર (મેગા સીડ) યોજના, ન.કૃ.યુ., નવસારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડીયાપાડા દ્રારા સંયુક્ત રીતે હળદર, મરી અને એરંડાની વૈજ્ઞાનિક ખેતી અને તેમના મૂલ્યવર્ધન પર એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ડો.વી.કે.પોશીયા (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા) દ્વારા કરવામાં આવી હતી. તેમણે ખેડૂતોને નર્મદા જિલ્લામાં હળદરની ખેતી વિશે સૂચન કર્યું હતું. પ્રોજેક્ટ ઈન્ચાર્જ ડૉ. હર્ષલ પટેલ (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, કઠોળ અને એરંડા સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ., નવસારી)એ ખેડૂત મિત્રોને હળદર અને મરીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ડો. રોનક ભક્ત (મદદનીસ સંશોધન વૈજ્ઞાનિક, કઠોળ અને દિવેલા સંશોધન કેન્દ્ર, મેગા સીડ યોજના) દ્વારા ખેડૂતોને એરંડાની વૈજ્ઞાનિક ખેતી વિશે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં કુલ ૯૫ ખેડૂતો અને સંસ્થાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!