સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર શાખા નહેર પર આવેલા જુદા-જુદા ૩ પુલ પર પ્રવેશ પર પ્રતિબંધ ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિધ્ધ

તા.29/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
નાના વાહનો, મોટા ભારે તથા માલવાહક વાહનો માટે પ્રતિબંધ, પરિવહન માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ આવેલા પુલોની હાલની માળખાકીય પરિસ્થિતિ વાહનવ્યવહાર માટે સુગમ ન હોવાનું જણાતા સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ હસ્તકના સૌરાષ્ટ્ર શાખા નહેર પર આવેલા જુદા-જુદા ૩ પુલ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ/ડાયવર્ઝન અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. કે.ઓઝા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામાં અનુસાર સૌરાષ્ટ્ર શાખા નહેરનાં સુરેન્દ્રનગરથી ખમીસણા જતા રસ્તા પર આવેલ સાંકળ ૧૦૪.૦૧૦ કિ.મી. પરનો પુલ પર તમામ પ્રકારના વાહન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ મોરબી શાખા નહેરનાં સુરેન્દ્રનગરથી ખમીસણા જતા રસ્તા પર આવેલ સાંકળ ૦.૩૮૦ કિ.મી. પરનો પુલ પર તમામ પ્રકારના વાહન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના વૈકલ્પિક રસ્તા તરીકે નાના વાહનો માટે ખમીસણા ગામ તરફથી સુરેન્દ્રનગર આવવા માટે ખમીસણાથી ચમારજ ગામ થઈ દૂધરેજ વડવાળા મંદીર થી દૂધરેજ વટેશ્વર વન પાસે થઈ કેનાલ વાળા રોડથી સુરેન્દ્રનગર તરફ આવવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે તેમજ સુરેન્દ્રનગર તરફથી ખમીસણા જવા માટે સી.યુ. શાહ મેડિકલ કોલેજ વાળા રસ્તેથી નર્મદા કેનાલની ડાબી બાજુ નર્મદાના કેનાલના રોડ પર આગળ ૫૦૦ મીટર પર નર્મદા કેનાલનું નાળુ આવેલ છે. જે નાળા પરથી ધ્રાંગધ્રા તરફ જતાં રસ્તાની વચ્ચે ડાબી બાજુ ખોડુ ત્રણ રસ્તા થઈ દૂધરેજ વડવાળા મંદિરથી ચમારજ થઈ ખમીસણા તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે મોટા તથા માલવાહક વાહનો માટે ખમીસણા ગામ તરફથી સુરેન્દ્રનગર આવવા માટે ખમીસણાથી દાણાવાડા ગામ, ગોદાવરી ગામ, શેખપર થઈને સુરેન્દ્રનગર તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે તેમજ સુરેન્દ્રનગર તરફથી ખમીસણા જવા માટે શેખપર ગામથી ગોદાવરી ગામ, દાણાવાડા થઈને ખમીસણા જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે સૌરાષ્ટ્ર શાખા નહેરનાં સુરેન્દ્રનગર તરફથી ખમીસણા જવા માટે સુ.નગર સી.યુ. શાહ મેડિકલ કોલેજ વાળા રસ્તેથી નર્મદા કેનાલની ડાબી બાજુ નર્મદાના કેનાલના રોડ પર આગળ ૫૦૦ મીટર પર આવેલી સાંકળ ૧૦૨.૦૯૦ કિ.મી. પર આવેલ પુલ પર ફક્ત ભારે-મોટા માલવાહક વાહન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના વૈકલ્પિક રસ્તા તરીકે, ૧) ધ્રાંગધ્રા તરફથી આવતા મોટા વાહનોને સુરેન્દ્રનગર, લીંબડી, મુળી, ચોટીલા, રાજકોટ તરફ જવા માટે ધ્રાંગધ્રાથી કોંઢ, સરા, સરલા જતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. ૨) મુળી, ચોટીલા, રાજકોટ તરફથી આવતા મોટા વાહનોને ધ્રાંગધ્રા જવા માટે મુળી, સરલા, સરા, કોંઢ થી ધ્રાંગધ્રા જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. ૩) સુરેન્દ્રનગર, લીંબડી તરફથી આવતા વાહનોને ધ્રાંગધ્રા તરફ જવા માટે ગેબનશાહ સર્કલથી લખતર, વણા, માલવણ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે આ જાહેરનામું પુલોના નવીનીકરણ/રીપેરીંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.



