GODHARAGUJARATPANCHMAHAL

પંચમહાલ જિલ્લાના ખેડૂતો કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારીના પગલાં લેવા અનુરોધ

વધુ જાણકારી માટે કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૮૦૧૫૫૧ ઉપર સંપર્ક કરવો

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવ્યા અનુસાર હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૨૬-૦૫-૨૦૨૫ થી તા.૨૯-૦૫-૨૦૨૫ દરમિયાન ગુજરાત રાજયના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને ધ્યાને લઇ ખેડૂતોને પાકના રક્ષણ માટે કેટલાક તકેદારીનાં પગલા લેવા જણાવાયું છે.

આ યાદીમાં જણાવ્યા અનુસાર ખેડૂતોએ કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેત ઉત્પાદિત પાક કે ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવા, તમેજ પાકને પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવા જણાવવામાં આવ્યું છે.

વધુમાં ખેડૂતોને આ સમય દરમિયાન જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવા, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવા કે સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ અંગે વધુ જાણકારી માટે ખેડૂતોએ તેમના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.)/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક(તાલીમ)/KVK નો અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

 

Back to top button
error: Content is protected !!