GUJARATKUTCHMANDAVI

સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે નિ:શુલ્ક કેમ્પનું આયોજન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ, તા-૦૪ ફેબ્રુઆરી :- સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે મધુમેહ (ડાયાબીટીસ) નિદાન-સારવાર-સલાહ કેમ્પનું આયોજન દર માસના પહેલા બુધવારે કરવામાં આવે છે, જે અંતર્ગત તા. ૦૫/૦૨/૨૦૨૫ ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયોજીત કેમ્પમાં ડાયાબિટીસની નિદાન-સારવાર-સલાહ, સિનિયર સિટીઝન કેર કેમ્પ, નિશુલ્ક હરસ-મસા-ભગંદર, ખાસી શ્વાસના દર્દીઓ નિદાન સારવાર કેમ્પ કરવામાં આવશે. મફત આયુર્વેદિક /હોમિયોપેથીક ઔષધીય સારવાર, દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. મફત બ્લડ સુગર ચેકઅપ, ડાયાબીટીસ તથા હરસ-મસા-ભગંદરની આયુર્વેદીક/ હોમિયોપેથીક ઔષધિય સારવાર, ડાયાબીટીસ તથા હરસ-મસા-ભગંદરના દર્દીઓ માટે રોજિંદી લાઇફસ્ટાઇલ તેમજ આહાર- વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. સિનિયર સિટિઝન (૬૦ વર્ષથી ઉપરના) દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થ્ય તથા શક્તિ વર્ધક ઔષધ આપવામાં આવશે. જુની શરદી, દસ દિવસથી ખાંસી તથા દમના દર્દીઓ માટે નિશુલ્ક એક્સ-રે તપાસ કરવામાં આવશે. કેમ્પનો સમય સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ રહેશે. એવું વૈદ્ય પંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!