GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ધૂમ્રપાન આરોગ્ય માટે અતિ હાનિકારક અસર ઉપજાવતી પ્રવૃત્તિ છે.

પ્રથમ ધૂમ્રપાન નિષેધ દિવસ ૧૯૮૪માં યુરોપમા ઉજવાયો હતો, અને હવે તે સમગ્ર વિશ્વમા વર્ષના બીજા બુધવારે માર્ચમાં યોજાય છે. ધૂમ્રપાન નિષેધ દિવસએ જાહેર જીવનમા સભાનતા લાવવાનો  દિવસ છે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર (DLSA) ના નેતૃત્વ હેઠળ સ્વૈચ્છિક અને માનદ સેવાઓ આપતા પારા લીગલ વોલ્યુન્ટીયરસ ( PLV ) શ્રી અનિલ કક્કડ અને સામાજિક કાર્યકર ડૉ. ગુલાબચંદ પટેલના સંયુકત પ્રયાસો થકી તારીખ ૧૩-૦૩-૨૦૨૪ ના રોજ  ગાંધીનગર ખાતે સેક્ટર -૧૪મા એક જાહેર કાર્યક્રમ યોજાઇ ગયો. મુખ્યત્વે નાના બાળકો અને મહિલાઓની ઉપસ્થિતિમા કાર્યક્રમમા મુખ્ય પ્રવક્તા શ્રી અનિલ કક્કડએ ધૂમ્રપાન માટે વપરાતા બીડી, સિગાર, સિગારેટ્સ, ઇલેક્ટ્રોનીક સિગારેટ, હૂકા, પાઇપ વિગેરેમા કાર્બન મોનોક્સાઇડ, નિકોટીન અને ટાર રહેલા છે જે કેન્સર, ટીબી, જેવા જીવલેણ રોગોને નિમંત્રણ આપે છે.

અન્ય વક્તા ડૉ. ગુલાબચંદ પટેલએ મહાત્મા ગાંધીજીના જીવનના પ્રેરક પ્રસંગોને ટાંકી ધૂમ્રપાનને સામાજિક કલંક ગણાવી વ્યસન મુક્તિ માટેના પુજ્ય બાપુના પ્રયાસોની સમજ આપી હતી. ગાંધીનગર મહાનગર પાલિકાના સદસ્ય હેમાબેન ભટ્ટએ  અતિથિ વિશેષ તરીકે હાજરી આપી તમામ નાગરિકોને જીવન પર્યંત ધૂમ્રપાન અને તમામ વ્યસનોથી દુર રહેવા શપથ વિધિ કરાવી હતી. સ્થાનિક કાર્યકર શ્રી મહેન્દ્ર ચૌહાણએ આભાર વિધિ કરી હતી. અંતમા આયોજિત રેલીમા ધૂમ્રપાન અને વ્યસન નાબુદી ના સુત્રોચ્ચાર કરવામા આવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!