RAMESH SAVANI

દેશની સમસ્યા મુસ્લિમો/ નેહરુ છે કે ‘અવતારી વડાપ્રધાન’?

દેશની સમસ્યા મુસ્લિમો/ નેહરુ છે કે ‘અવતારી વડાપ્રધાન’?

મણિપુરમાં 53% મૈતેઈ સમુદાયની વસ્તી છે જે મુખ્યત્વે ઈન્ફાલ ઘાટીમાં રહે છે. 40% આદિવાસી નગા અને કુકી સમુદાયની વસ્તી છે, જે પર્વતીય જિલ્લાઓમાં રહે છે. મૈતેઈ સમુદાય પોતાને ST-અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવાની માંગણી કરે છે; તેના વિરોધમાં 3 મે 2023ના રોજ ‘આદિવાસી મોરચા’એ રેલી કાઢી હતી; તે સમયે હિંસા ભડકી હતી.

પરિસ્થિતિ કેટલી વણસી ગઈ છે તેનો અંદાજ એ ઘટનાથી જાણી શકાય છે કે 11 જૂન 2023ના રોજ, મણિપુરના મિનિસ્ટર લીશાંગથેમ સુસિંદ્રોના બંગલા સામે એક મોટું ડ્રોપ બોક્સ મૂકવામાં આવ્યું છે; જેથી હિંસા દરમિયાન સુરક્ષા દળોનાં લૂંટેલા હથિયારો જમા કરી શકાય ! એટલું જ નહીં, 14 જૂનના રોજ લામ્ફેલ વિસ્તારમાં મણિપુરના મિનિસ્ટર નેમચા કિપજેનના ઘરને ભસ્મિભૂત કરી દીધુ હતું ! ખમેનલોક વિસ્તારના એક ગામમાં હુમલો થતાં 9 લોકોના મોત થયા હતા ! 15 જૂનની રાત્રે કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી આર. કે. રંજનસિંહના ઈન્ફાલના કોંગબા સ્થિત ઘરને ટોળાએ આગ ચાંપી હતી !

લોકોને એક વહેમ છે કે ડબલ એન્જિન વાળી સરકાર લોકોનું વધુ કલ્યાણ કરી શકે છે ! મણિપુરમાં ડબલ એન્જિન વાળી સરકાર છે; છતાં 16 જૂન 2023 સુધીમાં 100થી વધુ લોકોના જીવ ગયા છે ! મણિપુરના 11 જિલ્લામાં કર્ફ્યુ છે અને ઈન્ટરનેટ બંધ છે. હજારો ઘર સળગ્યા છે ! મોટી સંખ્યામાં ખાનગી અને સરકારી વાહનોને/ સંપત્તિઓને સળગાવેલ છે ! 50,000થી વધુ લોકો વિસ્થાપિત થયાં છે અને 349 રાહત શિબિરોમાં રહે છે ! સવાલ એ છે કે 53% મૈતેઈ સમુદાયને જો સરકાર આદિવાસીનો દરજ્જો આપે તો 40% ઓરિઝનલ આદિવાસીઓને અન્યાય થાય કે નહીં? શું સત્તાપક્ષનું આદિવાસી વિરુદ્ધનું આ પગલું નથી?

મણિપુરની નિષ્ફળતા ઢાંકવા માટે; સરકારની/ વડાપ્રધાનની નિષ્ફળતા તરફ લોકોનું ધ્યાન ન જાય તે માટે દરબારી મીડિયાએ, મુસ્લિમો પ્રત્યે ધૃણા પ્રગટાવવા કમર કસી છે ! સવાલ એ છે કે હિન્દુઓ 2014થી જ કેમ ભયમાં મૂકાઈ ગયાં છે? એક તરફ મણિપુરની હિંસા છે; તો બીજી તરફ લોકોનું ધ્યાન ભટકાવવા માટે ઉત્તરાખંડમાંથી મુસ્લિમોને કાઢી મૂકવાનું એલાન સુદર્શન ટીવી ચેનલે કર્યુ છે : ‘દૈત્યો દેવભૂમિ ખાલી કરો !’ નોંધી લો; મુસ્લિમો પ્રત્યે ધૃણા પ્રગટાવનાર, હિન્દુઓના શુભચિંતક નથી; તેમને માત્ર સત્તાના ફળ ખાવામાં રુચિ હોય છે ! 2014 પછી દરબારી મીડિયા ગુનાહિત પ્રવૃતિ કરતું થઈ ગયું છે. મુકેશ અંબાણીની ચેનલ મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવે છે ! ભક્તો ગર્વ કરે છે કે ‘અવતારી’ના શાસનમાં દંગા થતાં નથી ! પરંતુ મણિપુરની હિંસા શું સૂચવે છે? દિલ્હી દંગા કરાવનાર સત્તાપક્ષના કપિલ મિશ્રા જ હતાને? દરબારી મીડિયા/ સત્તાપક્ષનું IT Cell/ WhatsApp યુનિવર્સિટી માને છે કે દેશની તમામ સમસ્યા મુસ્લિમોના કારણે છે; નેહરુના કારણે છે ! રોજગાર નથી/ એજ્યુકેશન મોંઘું છે/ સારવાર મોંઘી છે/ પેટ્રોલ-ડીઝલ-ગેસ સિલિન્ડર વગેરે મોંઘાં છે/ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે/ બેરોજગારીના કારણે ગુનાઓ વધી રહ્યા છે; આ બધી સમસ્યાઓ માટે મુસ્લિમો/નેહરુ જવાબદાર કે ‘અવતારી વડાપ્રધાન’?rs

સૌજન્ય….

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0k9wMbBSW88nZrNCShD2jLtX7B2hAxz7T2jJcqG5CQNoM98ctQDowEyj5jKKvRrv3l&id=100063726189171&mibextid=Nif5oz

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!