સોમનાથ મુકામે સેબી,મુંબઈ દ્વારા આયોજીત કાર્યક્રમમાં જીલ્લા પોલીસ વડા મનોહરસિંહજી જાડેજાનું જાહેર સન્માન.
ગીર-સોમનાથ મુકામે આયોજીત કાર્યક્રમ માં ગીર સોમનાથ વિસ્તારના પોલીસ વડા મનોહરસિંહજી જાડેજાનું ભવ્ય સન્માન બુધ્ધીજીવીઓ અને અગ્રણીઓ દ્વારા થનાર છે.સેબી,મુંબઈ દ્વારા નાણા રોકાણકારોને જાગૃત્ત અને સશકત કરવાના અભિયાનના ભાગરૂપે સોમનાથમાં રાષ્ટ્રીય કક્ષાના એક દિવસીય સેમીનારનું આયોજન કરવામા આવેલ છે. સેબી,મુંબઈના પ્રતિનિધી ઓ ઉપસ્થીત રહી માર્ગદર્શન આપનાર છે. આ સેમીનારમાં આમ નાગરીકોને વિના મુલ્યે પ્રવેશ છે. મનોહરસિંહજી જાડેજાએ ઉમદા સેવા દ્વારા કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફીયાઓને પકડી પાડેલ છે. નામદાર ગુજરાત સરકાર દ્વારા મનોહરસિંહજી જાડેજાને સન્માનિત કરવામા આવેલ છે.સોમનાથ જીલ્લાના પોલીસ વડા મનોહરસિહં જાડેજાના જાહેર સન્માન કાર્યક્રમમાં જોડવા માંગતા આમ નાગરીકોને મોબાઈલ નં.૯૪૨૬૨ ૦૧૬૧૧, ૭૦૧૬૧ ૩૧૮૭૨, ૮૨૦૦૮ ૬૬૧૦૫, ૮૨૦૦૨ ૮૧૭૧૭ સંપર્ક કરવા જાહેર અપીલ કરવામા આવે છે.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ