GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO

Jasdan: કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણનાં કાનપર ગામે ડામર રોડનાં કામનું ખાતમુર્હૂત કર્યું

તા.૧૦/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રૂ.૧૬૦ લાખના ખર્ચે તૈયાર થનાર આ રોડ મોટા દડવા અને કાનપરનાં ગ્રામજનોને ઉપયોગી બનશે: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

Rajkot, Jasdan: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જસદણ તાલુકાના કાનપર ગામે રૂ.૧૬૦ લાખનાં ખર્ચે બનનારા નવા ડામર રોડનાં કામનું ખાતમુર્હૂત કર્યું હતુ.

આ પ્રસંગે ગ્રામજનોને અભિનંદન પાઠવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા સરકાર કટિબદ્ધ છે. ગામે ગામ પાકા રસ્તા, આરોગ્યની સુવિધાઓ, શિક્ષણ સહિત વિકાસના કામો હાથ ધરવાની સાથે રાજ્ય સરકારની અનેક લોકકલ્યાણલક્ષી યોજનાઓ લોકોને ઉપયોગી બની રહી છે.

રસ્તાઓ, શિક્ષણ, પીવાનું અને સિંચાઈનું પૂરતું પાણી, આરોગ્ય સહિતના ક્ષેત્રે નાગરિકોની સુખાકારી વધારવા આયોજનબધ્ધ કામગીરી થઈ રહી છે.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, કિસાનપથ યોજના હેઠળ રૂ.૧૬૦ લાખના ખર્ચે બનનારા ૫ કિલોમીટર લંબાઈનો આ ડામર રોડ મોટા દડવા અને કાનપરના વાહન ચાલકોને ઉપયોગી બનશે. આ તકે મંત્રીશ્રીએ ગ્રામજનોને અપીલ કરતાં કહ્યું હતું કે, ડામર રોડનું કામ ચાલુ હોય ત્યારે રસ્તા પર અવર-જવર કરવાનું ટાળવું. રસ્તો સારો, ટકાઉ, ગુણવત્તાયુક્ત અને વહેલી તકે બને તે માટે માર્ગ અને મકાન પંચાયત વિભાગ કટિબદ્ધ છે.

માર્ગ અને મકાન પંચાયતના અધિકારીશ્રી ઝાલાએ આ પ્રસંગે ખાતમુહૂર્ત થયેલ ડામર રોડની વિસ્તૃત જાણકારી આપી હતી. જે મુજબ ૫ કિલોમીટર લંબાઇનાં ત્રણ લેયરમાં બનનારા આ રસ્તાનું કામ વહેલી તકે પુર્ણ કરાશે.

આ તકે સર્વે મહાનુભાવોશ્રી રસિકભાઈ, ભુપતભાઈ, વજુભાઈ ચાવડા, લલિતભાઈ મનુભાઈ સહિત અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!