ડેડીયાપાડા – વિધાનસભા સત્રમાં હાજરી માટે 3 દિવસના ચેતર વસાવા ને શરતી જામીન.
તાહિર મેમણ – ડેડીયાપાડા – 08/09/2025 ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.સમર્થકો તેમને લેવા પોહ્ચ્યા ચેતર વસાવા 8થી 10 સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજરી આપી શકશે. આજે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર તેમનાં પરિવારજનો અને કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. વસાવા હવે ગાંધીનગર ખાતે વિધાનસભા સત્રમાં હાજરી આપશે.60 દિવસ થી વધુ જેલવાસ બાદ વસાવાને શરતી જામીન મળ્યા છે. તેમણે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. આ અરજી 1 સપ્ટેમ્બરે રાજપીપળા કોર્ટમાં મૂકવામાં આવી હતી.તારીખ 08થી 10 સપ્ટેમ્બર એમ કુલ ત્રણ દિવસ વિધાનસભા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈતર વસાવા જનપ્રતિનિધિ હોવાથી પોતાના વિસ્તારના પ્રશ્નોને રજૂ કરવા વિધાનસભામાં ઉપસ્થિત રહેવા માટે નર્મદાની કોર્ટમાં ત્રણ દિવસના વચગાળાના જામીનની માગ કરી હતી. નર્મદાની કોર્ટે ચૈતર વસાવાને શરતોને આધીન વચગાળાના જામીન આપ્યા છે, જે પૈકી એક શરતમાં ચૈતર વસાવાને પોલીસજાપતા સાથે જામીન આપવામાં આવ્યા હતા.
ડેડીયાપાડા તાલુકા પ્રમુખ સાથે તેમની સામે ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે મારામારીનો આરોપ છે. આ ઘટના ATVT ની સંકલન બેઠક દરમિયાન બની હતી. બંને નેતા વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ. ત્યાર બાદ મારામારીનો બનાવ બન્યો હતો. સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી. ધરપકડ સમયે પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.