જૂનાગઢ આઈસીડીએસ શાખા દ્રારા આગંણવાડી કેન્દ્રોમાં પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.તા.૨૨-૦૪-૨૦૨૫ એ ૭ મા રાષ્ટ્રીય પોષણ પખવાડા ની પુર્ણાહુતી પ્રસંગે આઈ.સી.ડી.એસ. શાખા જૂનાગઢ ના તાબા હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે માસના ચોથા મંગળ દિવસ એટલે કે પુર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જે અન્વયે આંગણવાડી કેન્દ્રો ખાતે પુર્ણા યોજના અંતર્ગત નોંધાયેલ ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓને તરૂણાવસ્થા દરમ્યાન પોષણ વિશે સમજણ આપવામાં આવી હતી.તેમજ વિવિધ પ્રકારના ખાધ્ય જુથોનું મહ્ત્વ ,પોષકતત્વો અને તેના શરીરમાં કાર્યો જેવા પોષણ સ્તર સુધારવા માટે લેવાતા પગલાં વિશે સમજણ આપવામાં આવી હતી.વધુમાં તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કિશોરીઓનું BMI માપન કરી તેઓને પોષણ વિશે માહિતગાર કરવામાં આવી હતી
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ