GUJARATPANCHMAHALSHEHERA

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના શાળા સંચાલકો, શિક્ષકો તેમજ વહીવટી કર્મચારીઓ દ્વારા મૌન ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.

શહેરા

રિપોર્ટર નિલેશ દરજી શહેરા

13/08/2023

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અને પંચમહાલ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ અનુસાર સમગ્ર રાજ્યના વિવિધ તાલુકા મથકો ઉપર સંકલન સમિતિના આપેલ વિવિધ કાર્યક્રમોના અનુસંધાનમાં આજરોજ 12-08-2023 ને શનિવારના રોજ બપોરના 12 થી 3 સમયગાળા દરમ્યાન શહેરા તાલુકાના શાળા સંચાલકો, આચાર્યો, શિક્ષક ભાઈયો- બહેનો તથા વહીવટી કર્મચારીઓ દ્વારા મૌન ધરણાનો કાર્યક્રમ શહેરા તાલુકા પંચાયત કચેરી સામે યોજવામાં આવ્યો હતો. સદર મૌન ધરણા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા સમાધાન થયેલ પ્રશ્નોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. પરંતુ સરકાર દ્વારા આજદિન સુધી કોઈ નિશ્ચિત પરિપત્ર કરવામાં આવેલ નથી. સંકલન સમિતિના માધ્યમ થી. આજરોજ અમો સરકારને જણાવવા માંગીએ છીએ કે સત્વરે સમાધાન થયેલ પ્રશ્નોના ઠરાવો બહાર પાડવામાં નહીં આવે તો આગામી સમયમાં 17-08-2023 થી 24-08-2023 સુધી તમામ શાળાઓના તમામ સંચાલકો, આચાર્યો, શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક તમામ કર્મચારીઓ કાળા વસ્ત્રો ધારણ કરી ફરજ બજાવવાના છીએ અને આપાણી પડતર માંગણીઓ અંતર્ગત બ્લેક સપ્તાહ નો કાર્યક્રમ થકી રાજ્ય સરકારને જગાડવાના શ્રેષ્ઠ પ્રયત્ન કરીશું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!