વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનનો અનેરો ઉત્સાહનો માહોલ સર્જાયો છે. સમગ્ર જિલ્લામાં ઉજવણી અંતર્ગત ઠેર-ઠેર તિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે.
હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાંસદા તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી ડી.આઇ.પટેલના માર્ગદર્શન હેઠળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભકિતના નારાથી વાંસદા ગામ ગુંજી ઉઠયું હતું. આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો, કર્મચારીઓ, પોલીસ જવાનનો બાઇક રેલીમાં જોડાયા હતાં.