કાલોલ તાલુકાનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૮ મી મેં ના રોજ યોજાશે.
તારીખ ૨૪/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ મામલતદાર કચેરી ખાતે મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળનો તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યકમ આગામી તારીખ ૨૮/૦૫/૨૦૨૫ ના રોજ સવારના ૧૧.૦૦ કલાકથી પુર્ણ ન થાય ત્યાં સુધી યોજવામાં આવનાર છે. સંબંધકર્તા નાગરિકોએ તેઓના (સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન,નિતિવિષયક તથા આક્ષેપો કરતી અરજી) સિવાયના પ્રશ્નો લેખિતમાં તારીખ ૧૦/૦૫/૨૦૨૫ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ ધ્વારા મામલતદાર કચેરી કાલોલ માં મળે તે રીતે રજૂ કરવાના રહેશે.અરજી ઉપર”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ”ના મથાળા હેઠળ એવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તારીખ ૧૦/૦૫/૨૦૨૫ સુધીમાં મળેલ અરજીઓનો જ ચાલુ માસમાં સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે.અરજી કરવા ઇચ્છતા નાગરિકોએ દર માસમાં તારીખ ૧ (એક) થી ૧૦ (દસ) માં ઓનલાઇન સ્વાગત પોર્ટલ પર અરજી કરવાની રેહશે.આ કાર્યક્રમમાં કેવા પ્રકારની અરજીઓ સ્વીકારવામાં આવશે તેની સ્પષ્ટતા નીચે મુજબ છે.(૧)લાંબા સમયના પડતર પ્રશ્નો અંગે અરજી કરવાની રહેશે.(૨)તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને કરેલ રજુઆતની નકલ સહ અરજી કરવાની રહેશે.(3)આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નોનો તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા જ તેમજ સેવાકીય, કોર્ટ મેટર,રહેમરાહે નોકરી, પેન્શન,નિતિવિષયક તથા આક્ષેપો સિવાયના પ્રશ્નો હોવા જોઈએ.(४) આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજુઆત કરાવી શકાશે નહિ.(૫) આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામૂહિક રજુઆતો કરી શકશે નહિ.