BHARUCHBHARUCH CITY / TALUKO

“વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન અને વિવિધ સમસ્યાઓના” નિરાકરણ માટે ઓનલાઈન પ્રવેશ માર્ગદર્શક સેમીનાર યોજાશે

“વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન અને વિવિધ સમસ્યાઓના” નિરાકરણ માટે ઓનલાઈન પ્રવેશ માર્ગદર્શક સેમીનાર યોજાશે

 

ગુજરાત સરકાર દ્વારા માન્ય વિવિધ પોલીટેકનીક કોલેજોમા ડીપ્લોમા ઈજનેરીના વિવિધ અભ્યાસક્રમોમા ધોરણ-૧૦ પછી પ્રથમ વર્ષ અને ITI/TEB પછી સીટુડીમાં બીજા વર્ષમાં પ્રવેશ મેળવવા ઓનલાઈન પ્રવેશની પ્રક્રિયાના ક્રમિક પગલાં અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલીઓ પડતી હોય છે, ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન અને વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે શ્રી કે જે પોલીટેકનીક, ભરૂચ અને એડમીશન કમિટી ફોર ડીપ્લોમા કોર્પીસ, અમદાવાદ દ્વારા સવારે ૧૧ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી આગામી તા. ૧૩-૦૫- ૨૦૨૩ ના એસ. એન્ડ આઈ. સી. નગર પાલિકા હાઈસ્કુલ, ટંકારી ભાગોળ, જંબુસર ખાતે, તા. ૧૪-૦૫-૨૦૨૩ ના ઈ.એન.જીનવાલા હાઈસ્કુલ સ્ટેશન રોડ, પીરામણ નાકા, અંકલેશ્વર ખાતે અને તા. ૦૩/૦૬/૨૦૨૩ ના શ્રી કે.જે.પોલીટેકનીક, કોલેજ રોડ જ નેશનલ હાઈવે નં-૮, ભોલાવ ભરૂચ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો વધુમાં વધુ લાભ લેવા જિલ્લાવાસીઓને અનુરોધ છે. તેમ શ્રી કે. જે. પોલીટેકનીક ભરૂચ તરફથી મળેલી એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યુ હતું.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!