ANANDANAND CITY / TALUKOGUJARAT

ખંભોળજ ખાતે મહંત રેવ. ફાધર ફાન્સિસ સંન્યાસ જીવનના 23 વર્ષ પૂર્ણ.

ખંભોળજ ખાતે મહંત રેવ. ફાધર ફાન્સિસ સંન્યાસ જીવનના 23 વર્ષ પૂર્ણ.

તાહિર મેમણ – આણંદ – 29/04/2025 – ખ્રિસ્તયજ્ઞ રેવ. ફાધર ફાન્સિસ રેક્સ રેવ. ફાધર જોન પીટર દ્વારા અર્પણ કરવામાં આવ્યો, શાસ્ત્ર પાઠ નું વાંચન સિસ્ટર શેરોન દ્વારા કરવામાં આવ્યું, યજ્ઞ બાદ ફાધર વિશે બે બોલ પેરિસ કાઉન્સિલ ના પ્રમુખ ડૉ શૈલેષ વાણીયા ‘શૈલ’દ્વારા કહેવામાં આવ્યા. ફાધર નું ફુલહાર થી સન્માન મરિયમ બેન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું. શુભેચ્છા ગીત સિસ્ટરો તથા ધર્મજનો દ્વારા ત્યારબાદ કેક કાપવાં માં આવી. અંતમાં ફોટોસેશન કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રેવ. ફાધર જોન પીટર તથા ડૉ. શૈલેષ વાણીયા શૈલ ખંભોળજ દ્વારા કરવામાં આવ્યું. રાજુભાઈ નો સહયોગ જોવા મળ્યો. અનાથોની માતા નો જય.

Back to top button
error: Content is protected !!