મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી ખૂબ જ આનંદ શાંતિ ઉજવવામાં આવી.

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે બાબા સાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી ખૂબ જ આનંદ શાંતિ ઉજવવામાં આવી.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે
ડૉ ભીમરાવ આંબેડકર જી ની 135 મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી…
જેમાં સંતરામપુર 16 ગામના વણકર સમાજના યુવાનો વડીલો બહેનો નાના ભૂલકાઓ સહિત વાલ્મિકી સમાજ રોહિત સમાજના આગેવાનો પણ ભાગીદાર બન્યા હતા… રિલાયન્સ પેટ્રોલ પંપ થી બાઇક રેલીનું મેઈન બજાર થઈ પ્રતાપપુરા અને નવા બજાર થઈ ગોધરા ભાગોળ થઈ બસ સ્ટેશન થી બાય પાસ સર્કલ સુધી આવતા તમામ મહાનુભાવોના સ્ટેચ્યુ ને ફુલહાર કરી અંતે બાબા સાહેબ ને ફુલહાર અર્પણ કરી તમામનો આભાર માની સૌ છૂટા પડ્યા હતા…આ પ્રસંગે ઉપસ્થિત તમામ સજ્જનો નો ખૂબ ખૂબ આભાર… સાથે વહીવટી તંત્ર અને સુરક્ષા જવાનો નો પણ અંતઃકરણ આભાર માન્યો હતો.
રિપોર્ટ…
અમીન કોઠારી મહીસાગર



