GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં કુપોષણ મુક્ત ભારત”રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન યોજાયું.
તારીખ ૨૬/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ભારત સરકાર દ્વારા માનનીય વડાપ્રધાનના કુપોષણ મુક્ત ભારતના સપનાને સાકાર કરવા,મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સામુદાયક પહોંચ અને જનજાગૃતિ દ્વારા કુપોષણ સમાપ્ત કરવા સાથે જોડાયેલી સેન્સેટાઇઝેશન અને અન્ય પ્રવૃત્તિઓ હાથ ધરીને કાલોલ તાલુકાના બાકરોલ ગામ ની પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા કુપોષણ મુક્ત ભારત”રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો.વરસાદના પાણીના સંગ્રહને લગતી પ્રવૃત્તિઓ, શૌચાલય,પીવાનું પાણી અને સ્વચ્છતા, તંદુરસ્ત જીવનશૈલી વગેરે બાબતોની વિદ્યાર્થીઓને માહિતગાર કરી રાષ્ટ્રનિર્માણ કાર્યમાં સહભાગી બન્યા.