૨૪ એપ્રિલે ખિલખિલાટ રસીકરણ, ૨૬ એપ્રિલે ઓરી અને રુબેલા રસીકરણ અને ૩૦ એપ્રિલ (પાંચમો બુધવાર) મમતા દિવસ મનાવાશે.
વિશ્વ રસીકરણ સપ્તાહ' ઉજવવામાં આવશે.
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બાળકોના સ્વાસ્થ્ય માટે વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો શરુ કરવામાં આવ્યા છે. જેમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ એ ખૂબ અગત્યનો કાર્યક્રમ છે કારણ કે બાળકના સ્વસ્થ જીવન અને સર્વાંગી વિકાસ માટે તમામ રસી અનિવાર્ય છે. આ કાર્યક્રમ દ્વારા ૧૧ ગંભીર રોગથી રક્ષણ આપવામાં આવે છે.
કેન્દ્ર સરકાર દ્વારા આગામી તા.૨૪ એપ્રિલ, ૨૦૨૫ થી તા.૩૦ એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન “વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક – વિશ્વ રસીકરણ સપ્તાહ (World Immunization Week)” ની ઉજવણી થશે. તે અનુસંધાને મહેસાણા જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો કરવામાં આવેશે.
જે અંતર્ગત તા.૨૪.૦૪.૨૦૨૫ ના રોજ વય આધારિત એનાલિસીસ મુજબ રસકીરણમાં બાકી રહી ગયેલા તેમજ છુટી ગયેલા બાળકોનું રસીકરણ આ મહિનાના ચોથા ગુરુવારે ખિલખિલાટ વાહનનો ઉપયોગ કરી કોઇ પણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે મુજબ કામગીરી કરવામાં આવશે.
તા.૨૬.૦૪.૨૦૨૫ ના રોજ મિઝલ્સ અને રુબેલા નાં એમ.આર. ઇલેમિનેશન રોડ મેપ-૨૦૨૬ (MR elimination roadmap 2026) સ્ટ્રેટેજી મુજબ વય આધારિત રસીકરણ સમયપત્રક મુજબ મિઝલ્સ અને રુબેલા (MR)ના ડોઝ બાકી રહી ગયેલ તેવા ૯ મહિનાથી ૫ વર્ષ સુધીના તમામ બાળકોનું ઝુંબેશરૂપે સઘન અચૂક રસીકરણ કરવામાં આવશે.
આ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત નિયમિત રસીકરણ સેશન યોજાતા હોય છે અને મમતા દિવસની કામગીરી દર બુધવારે થાય છે. તે ધ્યાને લઈ તા.૩૦.૦૪.૨૦૨૫ ના રોજ પાંચમા બુધવારે રુટિન મમતા દિવસનું આયોજન કરવામાં આવશે.
આમ, વર્લ્ડ ઈમ્યુનાઈઝેશન વીકની ઉજવણીના ભાગરુપે તા.૨૪.૦૪.૨૦૨૫ના રોજ ખિલખિલાટ રસીકરણ, તા.૨૬.૦૪.૨૦૨૫ના રોજ ઓરી અને રુબેલા રસીકરણ અને તા.૩૦.૦૪.૨૦૨૫ના રોજ (પાંચમો બુધવાર) મમતા દિવસનું આયોજન કરવામાં આવશે, તેમ મહેસાણા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ભરત સોલંકી અને આર.સી.એચ. ઓ. ડૉ.જી.બી.ગઢવી એ એક યાદીમાં જણાવ્યું છે.