MEHSANAVISNAGAR

પોષણ પખવાડિયા અંતર્ગત આજે અમ્મા કી રસોઈ માંથી અલગ અલગ વાનગી બનાવામાં આવી

મેદસ્વિતા મુકત ગુજરાત અન્વયે સ્થૂળતા વિશે સમજ આપવામાં આવી હતી

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વિસનગર

મહેસાણા અને વિસનગર તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં પોષણ પખવાડિયા ઉજવણી અંતર્ગત અમ્મા કી રસોઈ માંથી અલગ અલગ વાનગી પણ બનાવામાં આવી હતી. આજે મહિલા અને બાળ વિકાસ વિભાગની સંકલિત બાળવિકાસ યોજના (આઈસીડીએસ) હેઠળ સાત ધાન્યમાંથી ખીચડો તેમજ અમ્મા કી રસોઈ માંથી અલગ અલગ વાનગી બનાવામાં આવી હતી. આંગણવાડીમાં આવતા બાળકોના વાલીઓની ગૃહ મુલાકાત કરવામા આવી હતી તેમજ મેદસ્વિતા મુકત ગુજરાત અન્વયે સ્થૂળતા વિશે સમજ આપવામાં આવી હતી.

પોષણ અને આરોગ્યના ઉપાયો સમજાવતા આંગણવાડી કાર્યકરોએ લાભાર્થીઓને ટેક હોમ રાશન (THR)નાં પેકેટમાંથી વાનગી બનાવી તેમાંથી મળતાં પોષકતત્ત્વો વિશેની સમજ આપી હતી. આરોગ્ય અને પોષણની સમજ આપ્યા બાદ સમગ્ર લાભાર્થીઓને વરસાદી પાણીના સંગ્રહને લગતા ઉપાયો જણાવી પીવાના પાણી, સ્વચ્છતા, સારી ટેવો અને શૌચાલયના ઉપયોગ અંગેનો પ્રચાર – પ્રસાર કરવામાં આવ્યો હતો.તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન: બાળકોમાં સ્થૂળતાને અટકાવવા તંદુરસ્ત જીવનશૈલી અને ખોરાકની આદતો વિશે જાગૃતિ લાવવી આ બાબતો વિશે પણ સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ ઉજવણીમાં આંગણવાડી કાર્યકરો, આશાબહેનો , સ્થાનિકો પણ સહભાગી બન્યા હતા એમ ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસરશ્રી ચૈતાલીબેન ચૌધરીએ જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!