
તા. ૨૪. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાની નગરાળા એમ.એસ.ડબલ્યુ. કૉલેજ ખાતે જન્માષ્ટમી મટકીફોડ કાર્યક્રમ કરવામાં આવ્યું
આજરોજ તા. ૨૪. ૦૮. ૨૦૨૪ ના સવારે ૧૦.૦૦ કલાકે નગરાળા એમ. એસ. ડબલ્યું કોલેજ ખાતે જન્માષ્ટમીની
ઉજવણી કરી તેમાં ગોપાલભાઈ પી. ધાનકા એમ. એસ. ડબલ્યુ. કૉલેજ, નગરાળા ખાતે જન્માષ્ટમી મટકીફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં કૉલેજના આચાર્ય કૉલેજના અધ્યાપકગણ તેમજ એમ.એસ.ડબલ્યુ. કૉલેજ ના સેમ.-૧ અને સેમ.-૩ ના વિધાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ માં શ્રી કૃષ્ણ બાળગોપાલની આરતી કર્યા બાદ મટકી ફોડવામાં આવી. તમામ વિધાર્થીઓએ સાંસ્કૃતિક ડ્રેસમાં આવી. આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.





