HALVAD- હળવદના વૈજનાથ મહાદેવ મંદિરે અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
HALVAD- હળવદના વૈજનાથ મહાદેવ મંદિરે અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત હળવદ ઘટક ખાતે વૈજનાથ મહાદેવ મંદિર હળવદ જગ્યા માં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ નું આયોજન ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળક ના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રો માં ૧૬ સંસ્કાર ની વાત કરવામાં આવી છે તેમનો એક સંસ્કાર એટલે ગર્ભસંસ્કાર માન જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે. એસ. પ્રજાપતિ સાહેબ શ્રી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ સી ભટ્ટ સાહેબના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્તઃ સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવેલ છે
આજ રોજ તારીખ ૧૬-૪-૨૦૨૫ ના રોજ હળવદ ઘટક ખાતે વૈજનાથ મહાદેવ મંદિર હળવદ જગ્યા માં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ નું આયોજન માં મોરબી જિલ્લા ના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ સી ભટ્ટ સાહેબ ના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી મયુરીબેન એચ. ઉપાધ્યાય, તાલુકા વિકાસ અધિકારી શ્રી પરેશભાઈ ગૌસ્વામી, ચેરમેનશ્રી મહિલા અને બાળ વિકાસ ના પ્રતિનિધિ શ્રી રવજીભાઇ પરમાર, ગુજરાત મહિલા ઉપાધ્યક્ષ ઉર્વશીબેન પંડયા, સુપરવાઈઝર શ્રી મમતાબેન રાવલ, આજના પ્રોગ્રામના દાતા નિવૃત આંકડા મદદનીશ શ્રી એ. એમ. સંઘાણી, પાટિયા ગ્રુપ હળવદ, વિદ્યાબેન બળવંતભાઈ જોશી તથા હળવદ આઈ.સી.ડી.એસ. સ્ટાફ કાર્યક્રમમાં હાજર રહેલ.
આ કાર્યક્રમમાં હળવદ ઘટકના સર્વ ધર્મોના ૪૦ સગર્ભા માતાએ સંસ્કારી બાળકો માટે ગર્ભસંસ્કારની વિધિ ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા કરાવવામાં આવેલ.આ કાર્યક્રમ માં સગર્ભા મહિલા ના સારા સ્વાસ્થય માટે પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત હળવદ-૧ સેજાની આશરે ૪૦ સગર્ભા મહિલા લાભાર્થી ને પાટિયા ગ્રુપ હળવદ તરફથી ખજૂર તેમજ વિદ્યાબેન બળવંતભાઈ જોશી શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ તરફથી લીલા નારિયેળ સગર્ભા મહિલાઓ ને અર્પણ કરી મુખ્ય દાતા બની ઉતમ ઉદાહરણ પૂરું પાડેલ છે.