સંઘ-શતાબ્દી વર્ષ એટલે આત્મ નિરીક્ષણનું વર્ષ
પર્વ વિશેષ જણાવે છે ….. શ્રી દત્તાત્રેય હોસબોલેજી(સરકાર્યવાહ, RSS)
જામનગર (ભરત ભોગાયતા)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જ્યારે તેની સેવાનાં સો વર્ષ પૂર્ણ કરી રહ્યો છે, ત્યારે એક સ્પષ્ટ ઉત્સુકતા છે કે સંઘ આ સીમાચિહ્નને કેવી રીતે જુએ છે. સંઘ તેની સ્થાપનાથી જ સ્પષ્ટ છે કે આવા પ્રસંગો ઉજવણી માટે નથી પરંતુ આપણને આત્મનિરીક્ષણ અને હેતુ માટે પુન:સમર્પિત થવાની તક પૂરી પાડે છે. એ નિષ્ઠાવાન પુણ્યાત્માઓ જેમણે ચળવળને માર્ગદર્શન પૂરું પાડ્યું અને આ યાત્રામાં નિઃસ્વાર્થપણે જોડાયેલા અનેક સ્વયંસેવકો અને તેમના પરિવારોનાયોગદાનના ઋણ સ્વીકારનો પણ એક અવસર છે.
વિશ્વ શાંતિ અને સમૃદ્ધિ માટે સોહાર્દપૂર્ણ અને અખંડ ભારતના ભવિષ્ય માટે સંકલ્પબદ્ધ સો વર્ષની યાત્રા તરફ દૃષ્ટિપાત કરવા સૌથી સારી ક્ષણ સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારની જન્મજયંતી, જે ચૈત્ર સુદ એકમ – વર્ષ પ્રતિપદા, હિન્દુ કેલેન્ડરનો પ્રથમ દિવસ છે તેના કરતાં બીજો કોઈ ન હોઈ શકે.
ડૉ. હેડગેવાર આજન્મ દેશભક્ત હતા, બાળપણથી જ તેમનાં કાર્યોમાં ભારત પ્રત્યેનો આકંઠ પ્રેમ અને નિર્ભેળ સમર્પણનો આ ગુણ ઝળકતો હતો. કોલકાતામાં તબીબી શિક્ષણ પૂર્ણ કર્યું ત્યાં સુધીમાં તેઓ ભારતને બ્રિટિશ સામ્રાજ્યવાદ થી મુક્તિ માટે થયેલા સશસ્ત્ર ક્રાન્તિથી લઈને સત્યાગ્રહ સુધીના તમામ પ્રયાસોથી પરિચિત થઈ ચૂક્યા હતા. સંઘમાં
આપણે તેમને પ્રેમાદરથી ડૉક્ટરજી કહીએ છીએ,
ડૉક્ટરજીએ સર્વે રસ્તાઓનો આદર કર્યો અને તેમાંના કોઈને પણ ઓછું આંકવાનો કદી પ્રયાસ ન કર્યો. તે સમયે સામાજિક સુધારા કે રાજકીય સ્વતંત્રતા આ ચર્ચાના કેન્દ્રિય મુદ્દાઓ હતા, ત્યારે ભારતીય સમાજના ડૉક્ટર તરીકે, તેમણે જે કારણોથી આપણે સ્વતંત્રતા ગુમાવી તે મૂળભૂત સમસ્યાઓનું નિદાન કર્યું અને તેનું સ્થાયી સમાધાન શોધવાનું નક્કી કર્યું.
તેમને સમજાયું કે દૈનંદિન જીવનમાં દેશભક્તિનો અભાવ, સામૂહિક રાષ્ટ્રીય ચારિત્ર્યનો થયેલો હ્રાસ, જેના પરિણામે સંકીર્ણ ઓળખ ઊભી થાય છે અને સામાજિક જીવનમાં શિસ્તનો અભાવ એ બાહ્ય આક્રમણખોરોના ભારતમાં પગપેસારો કરવા પાછળનાં મૂળ કારણો છે.
તેમણે અનુભવ્યું કે સતત આક્રમણોને કારણે
લોકો આપણા ભવ્ય ઇતિહાસની સામૂહિક સ્મૃતિ ગુમાવી ચૂક્યા છે. તેથી, આપણી સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરા પ્રત્યે નિરાશાવાદ અને હીનતાની ભાવના હતી.
ડૉક્ટરજીનો વિશ્વાસ હતો કે થોડાક નેતાઓની માત્ર રાજકીય સક્રિયતા આપણા પ્રાચીન રાષ્ટ્રની મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ લાવી શકશે નહીં. તેથી, તેમણે લોકોને રાષ્ટ્ર માટે જીવવાનું પ્રશિક્ષણ આપવા માટે સાતત્યપૂર્ણ પ્રયાસોની એક પદ્ધતિ વિકસાવવાનું નક્કી કર્યું. નાવીન્યપૂર્ણ અને અદ્વિતીય શાખા પદ્ધતિ પર આધારિત સંઘની કાર્યપદ્ધતિ રાજકીય સંઘર્ષથી આગળની દૂરંદેશી વિચારધારાનું પરિણામ છે.
રાજકીય સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા ની સાથે અન્ય લોકોને પણ જોડાવા પ્રોત્સાહિત કરતા, ડૉ. હેડગેવારે સમાજમાં અલગ સંગઠન બનાવવા માટે નહીં, પરંતુ સમગ્ર સમાજને
સંગઠિત કરવા માટે આ તાલીમ પદ્ધતિ વિકસાવી. આજે સો વર્ષ પછી ડૉક્ટર હેડગેવાર દ્વારા બતાવેલા માર્ગ સાથે હજારો યુવાનો જોડાઈ રહ્યા છે અને રાષ્ટ્ર માટે સ્વયંને સમર્પિત કરવા માટે તૈયાર છે. સંઘ તરફથી સમાજની સ્વીકૃતિ અને અપેક્ષાઓ વધી રહી છે. આ બીજું કંઈ નહી પરંતુ ડૉક્ટરજીના દૂરંદેશીતા અને કાર્ય પદ્ધતિનો સ્વીકારના સંકેત છે.
આ સંઘ કાર્યપધ્ધતિ અને વિચારની પ્રગતિ અને વિકાસ કોઈ ચમત્કારથી ઓછો નથી. હિન્દુત્વ અને રાષ્ટ્રના વિચારને સમજાવવું સરળ નહોતું જ્યારે મોટાભાગના અંગ્રેજી શિક્ષિત ભદ્ર વર્ગ યુરોપિયન રાષ્ટ્રવાદના સંકુચિત, પ્રદેશવાદી અને અલગાવવાદી વિચાર થી પ્રભાવિત હતો. ડૉક્ટર હેડગેવારે વિચારધારાને સિદ્ધાંત માં સીમિત ન કરી, પરંતુ તેમણે બીજરૂપ એક કાર્ય યોજના આપી, જે આ યાત્રામાં માર્ગદર્શક બળ રહી છે. તેમના જીવનકાળ દરમિયાન, સંઘનું કાર્ય
ભારતના બધા જ પ્રાન્તમાં પહોંચ્યું.
જ્યારે આપણને સ્વાધિનતા મળી અને દુર્ભાગ્યવશ ભારત માતાનું ધાર્મિક આધાર પર વિભાજન થયું, ત્યારે સંઘના સ્વયંસેવકોએ જ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓને બચાવવા અને તેમને સન્માન અને ગૌરવ સાથે પુનઃવસન કરવાના કાર્યમાં પોતાને સમર્પિત કરી દીધા. સંગઠન માટે સંગઠનનો મંત્ર રાષ્ટ્રીય જીવનના વિવિધ ક્ષેત્રોમાં સંગઠનાત્મક ઊર્જા પ્રસારિત કરવા માટે પ્રગટ થયો. સ્વયંસેવક એટલે સમાજ પ્રત્યે દાયિત્વ અને કર્તવ્યની ભાવના થી સમર્પિત આ વિચાર શિક્ષણથી લઈને શ્રમ અને રાજકારણ સુધીના ક્ષેત્રોમાં તેની હાજરી દર્શાવવા લાગ્યો. રાષ્ટ્રીય નીતિશાસ્ત્રના પ્રકાશમાં બધું જ પુનર્ગઠિત કરવું પડશે આ તબક્કાના માર્ગદર્શક બળ દ્વિતીય સરસંઘચાલક શ્રી ગુરુજી (માધવ સદાશિવ ગોળવલકર) હતા. ભારત એક પ્રાચીન સભ્યતા છે જેની આધ્યાત્મિક
પરંપરાઓના આધારે માનવતાના હિતમાં નિયત ભૂમિકા ભજવવાની છે. જો ભારતે સાર્વત્રિક સંવાદિતા અને એકત્વના વિચારોના આધારે ભૂમિકા ભજવવી હશે તો ભારતના સામાન્ય લોકોએ તે લક્ષ્ય માટે પોતાને તૈયાર કરવા પડશે. શ્રી ગુરુજીએ તેના માટે એક મજબૂત વૈચારિક પાયો પૂરો પાડ્યો. હિન્દુ સમાજના સુધારાવાદી કાર્યને નવી ગતિ મળી જ્યારે ભારતના તમામ સંપ્રદાયોએ જાહેર કર્યું કે કોઈપણ પ્રકારના ભેદભાવને ધાર્મિક માન્યતા નથી. કટોકટી દરમિયાન જ્યારે બંધારણ પર ક્રૂર આક્રમણ કરવામાં આવ્યો ત્યારે સંઘના સ્વયંસેવકોએ શાંતિપૂર્ણ રીતે લોકશાહીને પુનઃસ્થાપિત કરવાની લડાઈમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સંઘે શાખાની વિભાવનાથી સમાજની સજ્જન શક્તિને આહ્વાન કરીને સેવા પ્રવૃત્તિમાં જોડવા સુધીનો વિસ્તાર કર્યો છે અને આ નવ્વાણું વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. રામ જન્મભૂમિ મુક્તિ જેવાં આંદોલનોએ ભારતના તમામ વર્ગો
અને પ્રદેશોને સાંસ્કૃતિક મુક્તિ માટે સાથે જોડ્યા. રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને સરહદ વ્યવસ્થાપન, સહભાગી શાસનથી લઈને ગ્રામીણ વિકાસ સુધી, રાષ્ટ્રીય જીવનનું કોઈપણ પાસુ સંઘ સ્વયંસેવકોથી અસ્પૃશ્ય નથી. સૌથી મોટો સંતોષ એ છે કે સમાજ આ પ્રણાલિગત પરિવર્તનનો ભાગ બનવા માટે આગળ આવી રહ્યો છે.
જ્યારે દરેક બાબતને રાજકીય દૃષ્ટિકોણથી જોવાની વૃત્તિ છે, ત્યારે સંઘ હજુ પણ સમાજના સાંસ્કૃતિક જાગરણ ઉપર અને સત્ય વિચાર ધરાવતા લોકો અને સંગઠનોનું મજબૂત નેટવર્ક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી સંઘનું ધ્યાન સામાજિક પરિવર્તનમાં મહિલાઓની ભાગીદારી અને કુટુંબ સંસ્થાની પવિત્રતા પુનઃસ્થાપિત કરવા ઉપર કેન્દ્રિત રહ્યું છે. સંઘ દ્વારા લોકમાતા
અહલ્યાબાઈ હોલકરની ત્રિશતાબ્દી ઉજવણીનું આહ્વાન કર્યા બાદ સમગ્ર ભારતમાં લગભગ દસ હજાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સત્તાવીસ લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો – જે આપણે આપણા રાષ્ટ્રીય નાયકોની સામૂહિક રીતે ઉજવણી કેવી રીતે કરી રહ્યા છીએ તેનો પુરાવો છે.
જ્યારે સંઘનું કાર્ય તેના સો વર્ષમાં પ્રવેશ્યું છે, ત્યારે સંઘે તેના મુખ્ય કાર્ય રાષ્ટ્રનિર્માણ માટે વ્યક્તિનિર્માણને તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધી લઈ જવાનું નક્કી કર્યું છે. સુનિયોજિત આયોજન અને ક્રિયાન્વન દ્વારા છેલ્લા એક વર્ષમાં દસ હજાર શાખાઓ ઉમેરવી તે દૃઢ નિશ્ચય અને સ્વીકારનું પ્રતીક છે. પ્રત્યેક ગામ અને વસ્તી સુધી પહોંચવાનું લક્ષ્ય હજુ પણ અધૂરું છે તે આત્મનિરીક્ષણનો વિષય છે. પંચ-પરિવર્તન પરિવર્તન માટેનો પાંચ-પગલાના કાર્યક્રમનું આહવાન આગામી વર્ષોમાં મુખ્ય કેન્દ્ર
રહેશે.
આપણા રાષ્ટ્રને ગૌરવના શિખર પર લઈ જવા માટે પ્રત્યેક વ્યક્તિ પરમ વૈભવમ નેતુમ એતત સ્વરાષ્ટ્રમના વ્યાપક હિતમાં યોગદાન આપી શકે તે માટે શાખા નેટવર્કનો વિસ્તાર કરતી વખતે, સંઘે નાગરિક કર્તવ્યો, પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી, સામાજિક સમરસતાયુક્ત આચરણ, પારિવારિક મૂલ્યો અને “સ્વ” ની ભાવના પર આધારિત પ્રણાલિગત પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
સંઘ રાષ્ટ્રીય પુનર્નિર્માણના આંદોલન તરીકે છેલ્લા સો વર્ષોમાં ઉપેક્ષા અને ઉપહાસથી જિજ્ઞાસા અને સ્વીકૃતિ તરફ આગળ વધ્યો છે. સંઘ કોઈનો વિરોધ કરવામાં માનતો નથી અને તેને વિશ્વાસ છે કે સંઘના કાર્યનો વિરોધ કરનાર કોઈપણ વ્યક્તિ એક દિવસ સંઘમાં જોડાશે. વિશ્વ જ્યારે જળ-વાયુ પરિવર્તનથી લઈને
હિંસક સંઘર્ષો સુધીના અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારતનું પ્રાચીન અને અનુભવપૂર્ણ જ્ઞાન ઉકેલો પૂરા પાડવા માટે સક્ષમ છે. આ વિશાળ પણ અનિવાર્ય કાર્ય ત્યારે શક્ય બનશે જ્યારે ભારત માતાનું દરેક બાળક આ ભૂમિકાને સમજે અને એક એવું ઘરેલું મોડેલ બનાવવામાં યોગદાન આપે જે અન્ય લોકોને અનુકરણ કરવા પ્રેરણા આપે. ચાલો આપણે આ સંકલ્પમાં જોડાઈએ કે સમગ્ર સમાજને સદાચારી લોકો (સજ્જન શક્તિ) ના નેતૃત્વ હેઠળ વિશ્વ સમક્ષ એક સમરસ અને સંગઠિત ભારતનો આદર્શ રજૂ કરીએ.
૦૦૦(રાજકોટ(સૌરાષ્ટ્ર-ગુજરાત) થી સંવાદ કેન્દ્રથી જગત વ્યાસએ વિગત પુરી પાડી છે
—-regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com