BHAVNAGARPALITANA

સંસ્કાર નું સિંચન કરતી અને જૈન ધાર્મિક શિક્ષણ જ્ઞાન આપતી બાલાશ્રમ માં પાપાચાર ની કારમી લીલા.. સમાજ સ્તબ્ધ 

સંસ્કાર નું સિંચન કરતી અને જૈન ધાર્મિક શિક્ષણ જ્ઞાન આપતી બાલાશ્રમ માં પાપાચાર ની કારમી લીલા.. સમાજ સ્તબ્ધ

પાલીતાણા તા 28-3-2026

પાલીતાણા શ્રી જૈન સિધ્ધક્ષેત્ર બાલાશ્રમ ના ગ્રહપતિ એ સગીર વિધાર્થી સાથે સુષ્ટિ વિરુધ કૃત્ય કર્યા ની વાલી ની પોલીસે ફરિયાદ થી આપઘાત નો પ્રયાસ કર્યો ની વિગતો બહાર આવતા સમગ્ર મામલે વધુ શંકાસ્પદ બની રહ્યો છે ત્યારે સ્થાનિક જૈન સમાજના પ્રમુખ શ્રી શાંતિભાઈ મહેતા આ મામલા અંગે પ્રેસ નો સંપર્ક કાપી નાખી ફોન સ્વિચ ઑફ કરી બેસી ગયા છે અને મગ નું નામ મરી પડતા નથી પણ આ મામલો પોલીસ અને સમાજ સામે આવતા સગીર વિધાર્થી સાથે સુષ્ટિ વિરુધ ના થયેલ કૃત્ય મામલે સમાજ હચમચી ઉઠયો છે અને વાલીઓ સામે લાલબત્તી સમાન આ મામલાથી બાલાશ્રમ માં અભ્યાસ અર્થે પોતાના બાળકોને મુકવા કે નહી તેવી ચિંતા સતાવી રહી છે કે ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર ગ્રહપતિ શ્રી હસમુખ શાહ ની પાપલીલા કેમ બહાર ન આવી શકી ? તેવા સવાલો ઉભા થયા છે ત્યારે શ્રી શાહ એ આપઘાત નો પ્રયાસ કરી કાયદા માંથી છટકવાનું નાટક કર્યું તેવી વિગતો સ્થાનિક આગેવાન પાસેથી જાણવા મળી છે ત્યારે પોલીસે અને સ્થાનિક ટ્રષ્ટીગણ મામલો દબાવી દેતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જો કે પોલીસ પોતાની કાર્યવાહી ઊંડાણ પૂર્વક કરી રહી છે ત્યારે શું દસ્તાવેજી આરોપી વિરુદ્ધ ના પુરાવા ઓ મેળવી લઈ સજાપાત્ર કામગીરી કરશે પરંતુ હજુ સુધી આ ગુના બાબતે ઘરપકડ થયેલ નથી.

Back to top button
error: Content is protected !!