જુનાગઢ જિલ્લાના મેંદરડા ગામના સામ કાઠા વિસ્તારમાં રહેતા શીતલબેન પ્રદીપભાઈ ભાખરના ઘરની તાજેતરમાં એક મુલાકાત લેવાઈ હતી. આ મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે શીતલબેનનું ઘર કુદરતના ખોળે વસેલું એક અદ્ભુત સ્થળ છે, જે હરિયાળી અને શાંતિથી ભરપૂર છે.શીતલબેન સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે તેઓ વિવિધ પ્રકારના ફૂલોના છોડ અને આયુર્વેદિક ઔષધીય વનસ્પતિઓ ઉગાડે છે. તેઓ આ છોડની ખાસ કાળજી લે છે અને કુદરતી રીતે તેમનું જતન કરે છે. ગામના ઘણા લોકો શીતલબેનના ઘરેથી આ ઔષધીય વનસ્પતિઓ લઈ જાય છે, જેનો ઉપયોગ તેઓ આયુર્વેદિક દવાઓ બનાવવા માટે કરે છે. આ વનસ્પતિઓમાં તુલસી, અળસી, આદુ જેવી અનેક ઔષધીઓનો સમાવેશ થાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.શીતલબેન જણાવે છે, “મને વનસ્પતિઓ અને કુદરત સાથે ખૂબ લગાવ છે. આ છોડ ઉગાડીને હું મારા ઘરને સુંદર બનાવું છું અને સાથે ગામના લોકોને પણ તેનો લાભ મળે તેવો પ્રયાસ કરું છું.”શીતલબેનનો આ પ્રયાસ ગામમાં પ્રેરણાદાયી બન્યો છે. તેમના ઘરની આ હરિયાળી અને ઔષધીય વનસ્પતિઓની સુગંધથી ભરેલી જગ્યા દરેક માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આવા પ્રયાસો કુદરતી જીવનશૈલી અને આયુર્વેદને પ્રોત્સાહન આપે છે, જે આજના સમયમાં અત્યંત મહત્ત્વપૂર્ણ છે
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ