GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરમાં ભાડે આપેલ દુકાનનો કબ્જો લેવા માટે કરેલ દાવામાં ભાડૂઆત તરફે આવ્યો ચુકાદો

WANKANER:વાંકાનેરમાં ભાડે આપેલ દુકાનનો કબ્જો લેવા માટે કરેલ દાવામાં ભાડૂઆત તરફે આવ્યો ચુકાદો

 

 

વાંકાનેર ના નીતીનભાઈ રમણીકલાલ ખરૈયા એ તેમની નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ દુકાન ભાડુત બંધ અને પડતર હાલત માં રાખતા હોઈ દુકાન નો કાયમી સ્વરૂપ ના ફેરફાર કરેલ હોઈ તેથી ખાલી કબજો મેળવવા તેના ભાડુત એ દોદરીયા જયંતીલાલ કરમશીભાઈ સામે વાંકાનેર ની કોર્ટ માં રે.દિવાની કેશ નં.૧૦૯/૨૧ થી દાવો દાખલ કરેલ સદરહું દાવો વાંકાનેર કોર્ટ માં ચાલી જતા નામદાર શ્રી એસ. કે. પટેલ સાહેબે તા.૪-૪-૨૦૨૫ ના રોજ હુકમ કરેલ જેમાં પ્રતિવાદી ભાડે રાખેલ દુકાન બંધ અને પડતર હાલત માં રાખતા હોઈ ત્થા કાયમી સ્વરૂપ ના દુકાન માં ફેરફાર કરેલા છે તે મુદો માન્ય રાખેલ નથી તેથી પ્રતિવાદી અંદોદરીયા જયંતીલાલ કરમશીભાઈ ને દુકાન ખાલી કરવા માટે હુકમ કરેલ નથી આમ નામદાર કોર્ટ વાદી ની દુકાન નો ખાલી કબજો મેળવવા વાદી ની દુકાન નો ખાલી કબજો મેળવવા અંગે ની દાદ મંજુર રાખેલ ન હોઈ દુકાન ખાલી કરવા નો હુકમ કરેલ નથી પ્રતિવાદી પક્ષે મોરબી ના વિધ્વાન વકીલ શ્રીનિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક ત્યા તેમની ટીમ હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, વિશાલભાઈ પી. ચાવડા, કિશોરભાઈ સુરેલા ત્થા અશોકભાઈ દામાણી રોકાયેલ હતા.

Back to top button
error: Content is protected !!