BANASKANTHADANTA

દાંતા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪ મે ના રોજ યોજાશે

દાંતા તાલુકા કક્ષાનો તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૫/૨૦૨૩ના રોજ સવારના ૧૦:૦૦ કલાકે પ્રાંત કચેરી, દાંતા ખાતે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલખરેનાઅધ્યક્ષસ્થાને યોજાનાર છે. તાલુકા કક્ષાએ દર માસના ચોથા બુધવારે યોજાતા આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં રજાના દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી,દાંતાખાતેસ્વીકારવામાંઆવશે.આફરીયાદનિવારણકાર્યક્રમમાં સર્વિસ મેટરતથાકોર્ટમેટરનીસિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતની અરજીઓ સ્વીકારવામાં આવશે. સામૂહિક રજુઆતો કરી શકશે નહીં તેમ નાયબ કલેક્ટરશ્રી દાંતાની અખબારી યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટર કલ્પેશ ઠાકોર દાંતા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!