દરેક વોર્ડ સોર્સ સેગ્રીગેશન (ભીના અને સુકા કચરા ના વર્ગીકરણ ની સમજ આપવામાં આવી તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા માટેની સમજ આપી તેમજ શહેર માં આવતા નરસિંહ સરોવર ની આસપાસ સફાઈ કરવામાં આવી ૫ જૂન ૨૦૨૫ વિશ્વ પર્યાવરણ દિવસના ભાગ રૂપે વિશ્વ કક્ષાએ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા માટે “Ending Plastic Pollution Globally” આધારિત પખવાડિક ઝુંબેશ માટે થીમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અન્વયે મહાનગર પાલિકા,જૂનાગઢ કચેરી દ્વારા તા.૨૨/૦૫/૨૦૨૫ થી સરકાર શ્રી ના પરિપત્ર મુજબ”વિશ્વ પર્યાવરણ દિવસ કેમ્પેન” આયોજન કરવામાં આવેલ છે.જેમાં મહાનગર પાલિકા જૂનાગઢની સેનીટેશન શાખા દ્વારા મેયરશ્રી ધર્મેશભાઈ પોંશીયા,માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશ, માન.ડે.મેયર શ્રી આકાશભાઈ કે. કટારા,માન.સ્થાયી સમિતિ ચેરપર્સનશ્રી પલ્લવીબેન ઠાકર, માન.શાસક પક્ષના નેતાશ્રી મનનભાઈ અભાણી અને માન.દંડક શ્રી કલ્પેશભાઈ અજવાણી તેમજ સેનીટેશન સમિતિના ચેરમેન શ્રી પુંજાભાઈ એમ.સિસોદિયાના માર્ગદર્શન અને નાયબ કમિશનરશ્રી અજય એસ. ઝાંપડા તથા જયેશભાઈ પી. વાજા અને આસી.કમિશનર (ટેક્સ)અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી કલ્પેશભાઈ જી.ટોલિયા ની સૂચના મુજબ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના વોર્ડ નં. ૧ થી ૧૫ માં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું તેમજ સ્વચ્છતા ના શપથ લેવડાવવામાં આવ્યા તેમજ નરસિંહ સરોવર ની આસપાસ ના વિસ્તાર માં સફાઈ કરવામાં આવી અને અલગ અલગ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરી અને કાપડ ની થેલી નો ઉપયોગ કરવા માટે ની સમજ આપવામાં આવી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ