GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ૨૪ માર્ચે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાશે
તા.૨૧/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ટી.બી. મુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુસર તા. ૨૪ માર્ચ, ૨૦૨૫ના રોજ ‘વિશ્વ ક્ષય દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે રાજકોટમાં જૂની કલેકટર કચેરીની બાજુમાં જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને સવારે ૧૦ કલાકે ટી.બી.ના જરૂરિયાતમંદ દર્દીઓને પોષણ આહાર કીટ વિતરણ કાર્યક્રમ યોજાશે, તેમ જિલ્લા ક્ષય કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.