Navsari: નાગરિકોને ધ્વજ સાથે સેલ્ફી અને હેશટેગ #HarGharTirangaOnceAgain લખી ફોટો અપલોડ કરવા અનુરોધ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
રાષ્ટ્રભાવનાની જ્યોત ઘર-ઘરમાં જગાવવા માટે તા.૯ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશવાસીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાનનું હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તેવો છે.
આ અભિયાન અંતર્ગત સંસ્કૃતિ મંત્રાલય દ્વારા www.harghartiranga.com વેબસાઈટ શરૂ કરાઈ છે. આ વેબસાઈટ પર નાગરિકોએ તેમના યોગદાનને ચિહ્નિત કરવા માટે નામ અને નંબર લખ્યા બાદ રાજ્યની પસંદગી કરી પોતાની સેલ્ફી ફોટો અપલોડ કરવાની રહેશે . જે બાદ વર્ચ્યુઅલ #HarGharTirangaOnceAgain અપલોડ કરેલ ફોટા પર દેખાશે , ફોટો અપલોડ કર્યા બાદ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા બદલ સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકાશે .
આ અભિયાનમાં વધુમાં વધુ લોકોને ધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરવાનો અનુરોધ કરાયો છે, તેમ જ આ વેબસાઇટ વિશે જાગૃતિ ફેલાવવા માટેના અધિકૃત હેશટેગ #harghartiranga નો ઉપયોગ કરવા પણ જણાવાયું છે ત્યારે નવસારી જિલ્લાના નાગરિકો પણ આ અભિયાનમાં સહભાગી થાય અને પોતે પણ આ અભિયાનનો ભાગ બને અને અન્ય લોકોને પણ જોડે.




