વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા નાબાર્ડના સહયોગથી ગણદેવીના વડસાંગળ ગામે SHG ની ૩૦ જેટલી બહેનોને વર્મી કમ્પોસ્ટ બનાવવાની દસ દિવસની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ પૂર્ણ થયા બાદ સર્ટિફિકેટ તથા ચેકોનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં નાબાર્ડના શ્રી બી.કે.સામંતરાય અને ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટના ડાયરેકટર શ્રી મેહુલભાઇએ કાર્યક્રમ અનુરૂપ સંબોધન કર્યુ હતું. આ અવસરે કૃષિ યુનિવર્સટીના ટ્રેનર ડો.કિંજલ શાહ, સરપંચશ્રી, ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.