નવસારી: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી, દ્વારા પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરાયુ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી:તા.૦૯,ભારત સરકારના કૃષિ મંત્રી શિવરાજશિંહ ચૌહાણના માર્ગદર્શનથી તા. ૨૯ મે થી ૧૨ જુન દરમિયાન સમગ્ર ભારત દેશમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આટ, અને બોદાલી ગામમાં ખેડૂતોને અધતન તાંત્રિકતાઓ મળી રહે એ માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ.પી. પટેલના માર્ગદર્શન અને સૂચનોને ધ્યાને લઈને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. સુમિત સાળુખે દ્વારા પ્રાકૃતિક કૃષિ વિશેની માહિતી જીવામૃત, બીજામૃત, આચ્છાદન વિશેની માહિતી આપી. ડો પ્રસુલ પટેલ દ્વારા બાગાયતમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી. આ પ્રસંગે જિલ્લના વિવિધ વિભાગો જેવા કે ખેતીવાડી, બાગાયત, પશુપાલન, ઇફકો વગેરે સંસ્થાના અધિકારીઓ ઉપસ્થિત રહીને ખેડૂતોને સરકારની વિવિધ સરકારી યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી.