KHERGAMNAVSARI

ખેરગામમાં 20 લાખના ખર્ચે શબવાહીનીનું લોકાર્પણ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ તાલુકામાં અંતિમ રથ (શબ વાહીની)ની વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા પંચાયતમાં શબ વાહીની ફાળવી આપવા થયેલી રજુઆત બાદ મંજૂરી મળતા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખેરગામ ખાતે સૌપ્રથમ 20 લાખ રૂપિયા ખર્ચે નવી શબ વાહીનીની ફાળવણી કરવામાં આવી હતી.જેના રજીસ્ટ્રેશનમાં વિલંબ થતા તાલુકા પંચાયતના સંકુલમાં આ શબ વાહીનીનું વાહન છેલ્લા કેટલાક મહીનાથી ઢાંકી રખાઈ હતી,જેની પ્રક્રિયા પૂર્ણ થતાં શુક્રવારે ધારાસભ્ય નરેશભાઈ પટેલ,સરપંચ ઝરણાબેન પટેલ,જિ. પં. સભ્ય ભીખુભાઇ આહીર,ભૌતેશ કંસારા,શૈલેષ ટેલર,ડે.સરપંચ જીગ્નેશ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શબવાહીનીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!