અર્બન ડેવલપમેન્ટ વર્ષ ૨૦૨૫-૨૬ તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનની ઉજવણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડથી ગિરનાર દરવાજા સુધી સાયક્લોથોન યોજાશે,નાઈટ સાઇકલોથોનની પૂર્વ તૈયારી સંદર્ભે કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.અર્બન ડેવલપમેન્ટ વર્ષ ૨૦૨૫-૨૬ તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનની ઉજવણી અંતર્ગત જૂનાગઢમાં તા. ૧૧ મે ના રોજ નાઈટ સાઇકલોથોન યોજાશે.નાઈટ સાઇકલોથોન ની પૂર્વ તૈયારીઓના સંદર્ભે આજ રોજ કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કલેકટરશ્રી એ નાઈટ સાઇકલોથોન ના સુચારું આયોજન માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.આ નાઈટ સાઇકલોથોન જૂનાગઢ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડથી ગિરનાર દરવાજા સુધી યોજાશે.આ સાથે નરસિંહ મહેતાના પદ ભજનો કાર્યક્રમ,ચિત્ર સ્પર્ધા,નિષ્ણાંત તબીબો નું ઉદબોધન,મેદસ્વિતા માંથી સ્વસ્થ થયેલ દર્દીઓનો સંવાદ સહિતના કાર્યક્રમો યોજાશે.આ બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર શ્રી ડો.ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેકટરશ્રી એન.એફ.ચૌધરી, ડેપ્યુટી કમિશનર શ્રી ઝાપડા સહિતના વિવિધ વિભાગના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.