વિદાય સમારંભ
આજ રોજ તા.૭/૨/૨૦૨૪ ગુરુવારના રોજ સાર્વજનિક હાઈસ્કૂલ,ખાનપુરદેહમાં વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત તીલાવાતે કુરઆન થી કરવામાં આવી હતી.કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પધારેલા શાળાના પ્રમુખશ્રી ઐયુબ ઈસ્માઈલ ચોકીવાલાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં “જીવનમાં શિક્ષણ નું મહત્વ“ આ વિષય ઉપર વિધાર્થીઓને પોત્સાહિત કરી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિધાર્થીઓને પરીક્ષામાં સફર થવાના માટે સૂચનો સમજાવી સારું પરિણામ લાવવા માટે શુભકામના પાઠવી હતી. શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી સિરાજ ભાઈ એ પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપ્યું હતું,શાળાના શિક્ષક સોએબ પટેલ તથા જુનેદ મુન્શીએ પ્રેરણાદાયક વક્તવ્ય આપી વિધાર્થીઓને પરીક્ષા બાબતે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું, કાર્યક્રમ દરમિયાન ધોરણ-૧૧ ની વિધાર્થીનીઓ પટેલ મારિયા જાદુગર,નફીશા જુબેર વૈદ અને આફિયા રશીદ ટેલરે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિધાર્થીઓ માટે વિદાય ગીત રજુ કર્યું હતું .સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક જુનેદભાઈ મુન્શી એ કર્યું હતું. શાળાના શિક્ષિકા સફીયાબેન યુનુસ હાજી એ અભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.