GUJARATKUTCHMANDAVI

સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણા મધ્યે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૨૫ નવેમ્બર : સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણા મધ્યે લોકશાહીના આધારરુપ ચૂંટણી અને ચૂંટણીની પ્રક્રિયાની પૂર્વ તૈયારીના ભાગરુપ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ચિત્ર તેમજ મતદાર અને મતદાન બાબતની મૌલિક વિચારોની અભિવ્યક્તિની સ્પર્ધાનુ આયોજન આચાર્ય શ્રી ડૉ વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ NSS ઓફીસર રમેશભાઈ ડાભી અને SPC ઓફીસર અલ્પેશભાઇ જાની દ્વારા કરવામાં આવેલ હતુ. જેમાં ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધેલ હતો. પોતાની પરિકલ્પનાઓના રંગો વડે મતદાન અને મતદાર સંદર્ભે ચિત્રો દોરી તેમજ મૌલિક વિચારો વડે થોડામાં ઘણુ કહી સ્પર્ધામાં હોંશભેર ભાગ લીધેલ હતો. સ્પર્ધાના અંતે ચિત્ર સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓમાં અનુક્રમે દામા વંશીકા મોહનભાઈ (ધો. ૧૦), ભાનુશાલી શ્રેયા મહેન્દ્રભાઈ (ધો-૯) અને ભાનુશાલી વંશી નીતિનભાઈ (ધો -૧૦) રહેલ હતા. જ્યારે વિચાર અભિવ્યક્તિના વિજેતાઓમાં પ્રથમ સોરા ખતુબાઈ હસણ (ધો-૧૧) અને દ્વિતિય ક્રમે ગામોત ક્રિષ્ના ગંગારામભાઈ (ધો-૧૨) રહેલ હતા. ચિત્ર સ્પર્ધાના નિર્ણાયકોમાં આશાબેન પટેલ, અલ્પાબેન ગોસ્વામી અને કિશનભાઇ પટેલ અને મૌલિક વિચાર અભિવ્યક્તિ સ્પર્ધાના નિર્ણાયક તરીકે બાબુભાઈ પરમાર, અલ્પેશભાઈ જાની અને રમેશભાઈ ડાભીએ સેવાઓ આપેલ હતી. આ બન્ને સ્પર્ધાઓના સંકલનની સંપૂર્ણ જવાબદારી ભૂમિબેન વોરાએ સંભાળેલ હતી. સ્પર્ધાઓને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવેલ હતી.

Back to top button
error: Content is protected !!