Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે માહિતી મદદનીશ શ્રી દિવ્યાબેન ત્રિવેદી અને સેવક શ્રી રવિસિંહ ચૌહાણનો વિદાયમાન સમારંભ યોજાયો
તા.૩૧/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
શ્રી દિવ્યાબેન ત્રિવેદીની સિનિયર સબ એડિટર તરીકે બઢતી : શ્રી રવિસિંહ ચૌહાણની સ્વૈચ્છિક નિવૃત્તિ
Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેષ મોડાસીયાના અધ્યક્ષસ્થાને માહિતી મદદનીશ શ્રી દિવ્યાબેન ત્રિવેદીની સિનિયર સબ એડિટર તરીકે જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર ખાતે બઢતી થતાં તેમજ સેવક શ્રી રવિસિંહ ચૌહાણએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં, તેમનો વિદાયમાન સમારંભ યોજાયો હતો.
આ તકે સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેષ મોડાસીયાએ જણાવ્યું હતું કે, શ્રી દિવ્યાબેનની કાર્યનિષ્ઠાના કારણે કચેરીને તેમની ખોટ વર્તાશે તેમજ તેમણે શ્રી રવિભાઈને નિવૃત્ત જીવન માટે શુભેચ્છા પાઠવી હતી. આ તકે નાયબ માહિતી નિયામક શ્રી પ્રશાંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શ્રી દિવ્યાબેનની કામની પ્રત્યેની નિષ્ઠા, એક્રેડિટેશન કાર્ડ અને મીડિયા સંકલનની સુચારુ કામગીરી તથા ઓલ રાઉન્ડર વ્યક્તિત્વ પ્રસંશનીય છે તેમજ શ્રી રવિભાઈનું પણ કચેરી માટે યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે.
આ વેળાએ શ્રી દિવ્યાબેન અને શ્રી રવિભાઈનું પુષ્પગુચ્છ અને શાલથી અભિવાદન કરાયું હતું. શ્રી દિવ્યાબેન અને શ્રી રવિભાઈએ કચેરી ખાતે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા સુખદ અનુભવો વહેંચ્યા હતાં. આ તકે અધિકારીઓ અને કર્મચારીઓએ પણ વિદાયમાન લેતાં બંને કર્મયોગીઓ સાથેની યાદો વર્ણવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેમેરા ઓપરેટર શ્રી કેતનભાઈ દવેએ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, શ્રી દિવ્યાબેન માહિતી મદદનીશ તરીકે વર્ષ ૨૦૧૯માં જામનગર ખાતે નિમણૂંક પામ્યા બાદ તેમની રાજકોટ ખાતે બદલી થતાં તેમણે અહીં ૦૩ વર્ષ ફરજ નિભાવી હતી. તેમજ શ્રી રવિભાઈ વર્ષ ૧૯૮૬માં કોટડાસાંગાણી તાલુકા માહિતી કેન્દ્ર ખાતે જોડાયા બાદ ધોરાજી, ડાકોર, વિસાવદર, વીરપુરમાં ફરજ નિભાવી હતી. ત્યારબાદ રાજકોટમાં ૨૪ વર્ષ સુધી કાર્યરત રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં સહાયક માહિતી નિયામકો શ્રી રાધિકાબેન વ્યાસ, શ્રી પ્રિયંકાબેન પરમાર, શ્રી રઝાકભાઈ ડેલા અને ના.કા.ઇ.શ્રી નિલેશભાઈ વાઘેલા સહીત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.