પાવાગઢ: ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા નોરતા અને રવિવારના રોજ યાત્રાધામ પાવાગઢ ખાતે દોઢ લાખ ઉપરાંત માઇ ભકતો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૪.૪.૨૦૨૪
આદ્યશક્તિ માં ની આરાધના નું પર્વ એટલે ચૈત્રી નવરાત્રી, ચૈત્રી નવરાત્રી ના છઠ્ઠા નોરતે શનિ રવિવાર ની રજાને કાળઝાર ગરમી માં પણ શક્તિપીઠ તેમજ યાત્રાધામ પાવાગઢ ખાતે દોઢ લાખ ઉપરાંત માઇ ભક્તોએ માતાજીના ચરણ માં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ શક્તિપીઠમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના દર્શનનો ભક્તોમાં વિશેષ મહિમા હોય છે.૫૧,શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજી છે.આ યાત્રાધામ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા હોય છે.તેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી,આસો નવરાત્રી,તેમજ આઠમ, પૂનમ નું અનેરું મહત્વ હોય છે.તે ઉપરાંત તેમજ શનિવાર રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. તેમાં પણ પાવાગઢ નો વિકાસ અને મંદિર પરિસરના આધ્યાત્મિક નિર્માણ તેમજ ઐતિહાસિક ધ્વાજરોહણ થયા બાદ યાત્રાળુઓનો ધસારો વધી ગયો છે.પરંતુ આશ્ચર્યજનક રીતે આજે ચૈત્રી નવરાત્રી ના પ્રથમ પાંચ નોરતા સુધી ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી.જોકે આજે છઠ્ઠા નોરતાએ ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું. યાત્રીકોનો પ્રવાહ વધી જતા પોલીસે યાત્રિકો પર ચાંપતી નજર રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઢવી દેવામાં આવ્યો હતો.મંગળવાર ના રોજથી શરૂ થયેલ નવરાત્રી પર્વ માં પાંચમા નોરતાની શનિવારની રાત્રેથી નવરાત્રી ના છઠ્ઠા નોરતું અને રવિવાર ની રજા ને લઈ માતાજીના ભક્તો પાવાગઢને જોડતા તમામ માર્ગો પર ભક્તોનો દર્શનાર્થે જતા જોવા મળ્યા હતા.જેને લઇ મુખ્ય માર્ગો પર જય માતાજી ના ભારે જયઘોષ સંભળાતા હતા.અને મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર માતાજીના ભક્તો મંદિરના નિજ દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર વહેલી સવારે ચાર કલાકે માતાજી ના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું. સવારે ચાર વાગે મંદિરમાં માતાજીની મંગળા આરતી થતા ભક્તોએ આરતીનો લાભ લીધો હતો.આરતી સાથે દર્શન ની શરુઆત થઇ હતી. જોકે બપોર બાદ અસહ્ય ગરમી ને કારણે ભક્તો નો પ્રવાહ ઘટી ગયો હતો.ચૈત્રી નવરાત્રી ને લઈ માતાજીના ભક્તો પગપાળા રથ તેમજ સંઘ માં આવતા યાત્રિકો માટે હાલોલ ખાતે ઠેક ઠેકાણે યાત્રિકોના વિશ્રામ માટે સંપૂર્ણ સુવિધા વાળા વિસામા ઉભા કરવામાં આવ્યા છે.જેમાં ઠંડુ પાણી, શરબત,ચા નાસ્તો તેમજ જમવાનું સાથે મેડિકલ સેવા અર્થે દરેક પ્રકાર ની દવા ગોળી પણ વિતરણ કરવામાં આવે છે. કેટલાક વિષામાંમાં તાજો શેરડી નો રસ છાસ આઈસ્ક્રીમ પણ વિતરણ કરવામાં આવે છે.અને યાત્રિકો ની સેવા માટે આખી રાત દિવસ તત્પર રહે છે.આજે યાત્રિકો નો પ્રવાહ વધારે હોવાથી તેઓને પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.