BANASKANTHAPALANPUR

રાધનપુર ખાતે શ્રી ગોગા મહારાજની પુનઃ ચલિત પ્રતિષ્ઠા એવમ યજ્ઞ યોજાયો

6 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજથી ૧૫ વર્ષ પહેલાં પ્રજાપતિ સમાજના ભાઈઓ રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર છાત્રાલય માટે એક જગ્યા જોવા ગયેલ ત્યારબાદ તે સ્થળે ગોગા મહારાજના સાક્ષાત દર્શન થયેલ આ જગ્યાએ છાત્રાલય નિર્માણ પામેલ વારે તહેવારે ગોગા મહારાજના દર્શન થતા ત્યારે નાની દેરી બનાવી સંચાલકો ધુપદીપ કરતા ત્યારે તાજેતરમાં શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળની મિટિંગ મળેલ જેમાં દેરીમાંથી નાનું મંદિર બનાવવાની ચર્ચાઓ થતા મંદિર બનાવવાનું કામકાજ હનુમાનપુર ગામના પ્રજાપતિ દેવશીભાઈ માનાભાઈએ સ્વીકારી દાતાઓ તથા શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ દ્વારા નાનું મંદિર બનાવેલ ત્યારે શ્રી ગોગા મહારાજની પુનઃચલિત પ્રતિષ્ઠા સંવત ૨૦૭૯ ના વૈશાખ સુદ-૧૫ ને શુક્રવાર તા.૦૫/૦૫/૨૦૨૩ ના રોજ પ્રજાપતિ સંકુલ રાધનપુર ખાતે સવારે ૮.૩૦ કલાકે હંસાબેન દશરથભાઈ દેવાભાઈ પ્રજાપતિ બંધવાડવાળાના યજમાન પદે શાસ્ત્રી ઉમાશંકર જોષીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાન થી મંત્રોચ્ચાંર સાથે સાંજે ૪.૩૦ કલાક સુધી યજ્ઞ યોજાયેલ.બપોરે ૧૨.૩૯ કલાકે શ્રી ગોગા મહારાજની પુનઃચલિત પ્રતિષ્ઠા કરવામાં આવેલ ત્યારે શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ એસ. પ્રજાપતિ,શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ,મંત્રી દશરથભાઈ પ્રજાપતિ,કન્વીનર ઉમેશભાઈ પ્રજાપતિ,શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળના પ્રમુખ ડી.ડી. પ્રજાપતિ,મંત્રી પ્રહલાદભાઈ પ્રજાપતિ,પૂર્વ મંત્રી નથુભાઈ પ્રજાપતિ,પૂર્વ મંત્રી એલ.કે. પ્રજાપતિ,ગૃહપતિ જગદીશભાઈ પ્રજાપતિ,મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગીતાબેન આર. પ્રજાપતિ,મણિલાલ પ્રજાપતિ, હરગોવાનભાઈ પ્રજાપતિ મુબારકપુરા,મંજીભાઈ પ્રજાપતિ, શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના પૂર્વપ્રમુખ કેશાભાઈ પ્રજાપતિ,મુજપુર પરગણા પ્રમુખ જીવાભાઈ પ્રજાપતિ,તેરવાડા પરગણા પ્રમુખ સોમાભાઈ પ્રજાપતિ,રાધનપુર પરગણા પ્રમુખ ઈશ્વરભાઈ પ્રજાપતિ,વારાહી/ જતોડા પરગણા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ,સમી પરગણા પ્રમુખ સોમાભાઈ પ્રજાપતિ,ગાંજીસર સરપંચ રમેશભાઈ પ્રજાપતિ, ત્રિભોવનભાઈ પ્રજાપતિ સરકારપુરા,પ્રહલાદભાઈ પ્રજાપતિ,કાંતિભાઈ પ્રજાપતિ, મુળજીભાઈ પ્રજાપતિ ડીસા,ફોટો ગ્રાફર હિતેશભાઈ પ્રજાપતિ, પ્રજાપતિ,દશરથભાઈ પ્રજાપતિ વડનગર,યુવા ટીમ રાધનપુર સહિત દરેક ધર્મપ્રેમી લોકો હાજર રહી ભોજન પ્રસાદલઈઆરતીઉતારીછુટાપડ્યાહતા.આઅંગેનટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!