Rajkot: જુનિયર ક્લાર્ક અને નીટ પરીક્ષા કેન્દ્રો આસપાસ અનઅધિકૃત વ્યકિતઓએ પ્રવેશવા પર પ્રતિબંધ
તા.૨/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પરીક્ષાર્થીઓ પુસ્તક, મોબાઈલ ફોન, ટેબ્લેટ જેવા ઉપકરણો પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે નહીં
Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા, રાજકોટ શહેરમાં અલગ-અલગ ૧૧૦ કેન્દ્રો ખાતે તા.૦૪-૦૫-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી ૧૨:૩૦ વાગ્યા દરમ્યાન લેવાનાર છે.
તેમજ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી, ન્યુ દિલ્હી દ્વારા National Eligibility Cum Entrance Test (NEET) ની પરીક્ષા રાજકોટ શહેરમાં અલગ-અલગ ૧૩ કેન્દ્રોમાં તા.૦૪/૦૫/૨૦૨૫ ના રોજ બપોરે ૧૪/૦૦ થી ૧૮/૦૦ કલાક સુધી રાજકોટ શહેરમાં લેવાનાર છે.
આ પરીક્ષામાં પરીક્ષાર્થીઓ કોઇપણ જાતની ખલેલ વિના પરીક્ષા મુકત અને શાંત વાતાવરણમાં આપી શકે તે માટે પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્રોનાં કંપાઉન્ડમાં તેમજ તેની ચારેય બાજુની ૧૦૦ મીટરની ત્રિજીયા વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યકિતઓ એકત્રિત થશે નહી.
આ ઉપરાંત શાળાઓ, કોલેજો (પરીક્ષા કેન્દ્રો) માં પ્રવેશ કરશે નહીં, વાહન લઈ જઈ શકશે નહી કે ચારથી વધુ માણસો ભેગા થશે નહીં.
વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ પ્રશ્નપત્રને લગતું સાહિત્ય, પુસ્તક, ચાર્ટ મોબાઈલ ફોન, ટેબ્લેટ વગેરે જેવા ડિજિટલ ઉપકરણો પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે નહીં. તેમજ ઝેરોક્ષ મશીનો બંધ રાખવા વિગેરે બાબતોને લઈને પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા એ પ્રતિબંધ મૂક્યા છે. આ આદેશ નો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.