તા.૨૩/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રૂ. ૨૭ લાખના ખર્ચે બનનાર પેટા આરોગ્ય કેન્દ્રમાં લેબર રૂમ, વેઈટીંગ એરીયા, એકઝામિન રૂમ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે
Rajkot: જળ સંપતિ અને પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ તાલુકાના બળધોઇ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પેટા આરોગ્ય કેન્દ્ર રૂ.૨૭,૨૮,૦૪૮/- ખર્ચે હોસ્પિટલ વિભાગ અને રહેણાંક વિભાગ તૈયાર કરવામાં આવશે. જેમાં લેબર રૂમ, વેઈટીંગ એરીયા, એકઝામિન રૂમ, ટોઇલેટ અને રહેઠાણ વિભાગમાં લીવીંગ રૂમ, બેડ રૂમ, કિચન, બાથરૂમ, ટોઇલેટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે.
આ તકે પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા મલેરિયા અધિકારીશ્રી, આરોગ્ય વિભાગના સટાફ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.