GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તા.૧૫ મે સુધી બંધ રહેશે
તા.૯/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જિલ્લા વહીવટી તંત્રની એક અખબારી યાદીમાં જણાવાયા અનુસાર રાજકોટ એરપોર્ટ તમામ નાગરિક ઉડ્ડયન સેવાઓ માટે તા. ૧૫ મે સવારે ૦૫.૩૦ કલાક સુધી બંધ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ એરપોર્ટ અગાઉ તા.૭ મે થી તા.૯ મે સુધી એમ ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવ્યું હતું.
આમ આગામી તા.૧૫ મે સવારે ૫:૩૦ સુધી રાજકોટ ખાતેથી ઉપડનારી તમામ સિવિલ ફ્લાઇટ્સ બંધ રહેશે, જેની સંબંધિતોને નોંધ લેવા જણાવાયું છે.