તા.૬ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૧-૦૬- ૨૦૨૩ (બુધવાર)ના રોજ સંબંધકર્તા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંગેના પ્રશ્નો બે નકલમાં અરજદારશ્રીઓએ સંબંઘકર્તા મામલતદારશ્રીને તા.૧૦-૦૬-૨૦૨૩ સુધીમાં મોકલી આપવાનો રહેશે.
આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજૂ કરવાના રહેશે નહિ. તેમજ પ્રથમવાર અરજી કરતા હોય તેવા પ્રશ્ન રજુ કરવા નહિ. આ માટે એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે ‘‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખવાનું રહેશે અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે. તેમ કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.