JETPURRAJKOT

૨૧ જૂને યોજાનારો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ

તા.૬ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૧-૦૬- ૨૦૨૩ (બુધવાર)ના રોજ સંબંધકર્તા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંગેના પ્રશ્નો બે નકલમાં અરજદારશ્રીઓએ સંબંઘકર્તા મામલતદારશ્રીને તા.૧૦-૦૬-૨૦૨૩ સુધીમાં મોકલી આપવાનો રહેશે.

આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજૂ કરવાના રહેશે નહિ. તેમજ પ્રથમવાર અરજી કરતા હોય તેવા પ્રશ્ન રજુ કરવા નહિ. આ માટે એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે ‘‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખવાનું રહેશે અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે. તેમ કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!