ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ જિલ્લામાં તા. ૨૪ અને ૨૫ નવેમ્બર દરમિયાન “રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૩” યોજાશે

આણંદ જિલ્લામાં તા. ૨૪ અને ૨૫ નવેમ્બર દરમિયાન “રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૩” યોજાશે

 

 

 

 

તાહિર મેમણ : 03/11/2023 શુક્રવાર :આણંદ : ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો માટેની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી મળી રહે તે હેતુથી સમગ્ર રાજ્યની સાથે આણંદ જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે આગામી તા. ૨૪-૧૧-૨૦૨૩ અને તા. ૨૫-૧૧-૨૦૨૩ ના રોજ “રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૩” યોજાનાર છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.

 

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને કાર્યક્રમ માટે સ્થળ પસંદગી, સ્ટોલ આયોજન, પશુ મેળાનું આયોજન તેમજ કાર્યક્રમને લગતી આનુષંગિક વ્યવથાઓના આયોજન અને તેના અમલીકરણ અર્થે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડીને જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે અંગે જરૂરી પગલા લેવા સુચવ્યું હતું.

 

આ તકે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચિંતન પટેલે કાર્યક્રમના આયોજનની રૂપરેખા આપી હતી.

 

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ જે.વી.દેસાઈ, પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!