HIMATNAGARSABARKANTHA

સાબર સ્પોર્ટ સ્ટેડિયમ ખાતે તા ૨૯ જુલાઈ થી ૫ ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન અગ્નિવીર ફિઝિકલ ટેસ્ટ યોજાશે

સાબર સ્પોર્ટ સ્ટેડિયમ ખાતે તા ૨૯ જુલાઈ થી ૫ ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન અગ્નિવીર ફિઝિકલ ટેસ્ટ યોજાશે

સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રી નૈમેષ દવે ની અધ્યક્ષતામાં અગ્નિ વીર ફિઝિકલ ટેસ્ટ આયોજન બેઠક યોજાઈ હતી.

દેશના યુવાનો ભારતીય સેનામાં જોડાઇ દેશની સેવા કરી શકે તે હેતુથી વડાપ્રધાન શ્રી દીર્ઘદ્રષ્ટિ અને દુરંદેશી અભિગમની યોજના એટલે અગ્નિ વીર યોજના. જેમાં યુવાનો ને ચાર વર્ષ માટે ભારતીય સેનામાં જોડાઇ દેશની સેવા કરવાનો મોકો આપવામાં આવ્યો છે. આ ભરતી સંદર્ભે સાબરકાંઠા જિલ્લા તેમજ રાજ્યના ૩૮૦૦ થી વધુ યુવાનોએ લેખિત પરીક્ષા પાસ કરી છે. આ યુવાનોની ફિઝિકલ ટેસ્ટ માટે તા ૨૯ જુલાઈ થી ૫ ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન સાબર સ્પોર્ટ સ્ટેડિયમ હિંમતનગર ખાતે ફિઝિકલ ટેસ્ટ નું આયોજન કરવામાં આવનાર છે. આ અંગે અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં આર્મી અમદાવાદ રિજિયનના કર્નલ શ્રી રાવત દ્વારા આ ફિઝિકલ ટેસ્ટ માટેની તમામ વ્યવસ્થા બાબતે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડાશ્રી વિશાલ વાઘેલા, અધિક નિવાસી કલેકટર શ્રી બ્રહ્મભટ્ટ, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, જિલ્લા રોજગાર અધિકારી શ્રી ચૌહાણ તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ, જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!